નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરુદ્ધ ડ્રાઈવ, 21 કિલો જથ્થો જપ્ત, ₹12,000 દંડ વસૂલ કર્યો

નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરુદ્ધ ડ્રાઈવ, 21 કિલો જથ્થો જપ્ત, ₹12,000 દંડ વસૂલ કર્યો

નવસારીમાં મહાપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક ઉપયોગ ટાળવા માટે કાર્યવાહી હાથ ધરાઈ, હવે દંડ ભરવો પડશે 

નવસારી શહેરને સ્વચ્છ અને તેમજ બીન ઉપયોગી પ્લાસ્ટિક મુકત કરવા સાથે શહેરી વિસ્તારને પર્યાવરણ અનુકૂળ બનાવવાના હેતુથી નવસારી મહાનગર પાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરમાં બે દિવસ દરમિયાન પાલિકાની ટીમે દ્વારા જુદા જુદા વેપારિક વિસ્તારોમાં તથા ડેપો રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કુલ 21 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને  ₹12,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

શહેરમાંથી દંડ અને જપ્ત કરાયેલા પ્લાસ્ટિકની વિગતો:

1. રજવાડી જનરલ સ્ટોર માંથી 2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹2,000 દંડ કરવામાં આવ્યો હતો

2. નવદુર્ગા પ્રોવિઝન સ્ટોર માંથી 4 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹3,000 દંડ કરવામાં આવ્યો હતો

3. ઉમિયા એજન્સી માંથી 3 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹1,000 દંડ કરવામાં આવ્યો હતો.

4. રાજહંસ જનરલ સ્ટોર માંથી 2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹1,000 દંડ કરવામાં આવ્યો હતો

5. અરિહંત જનરલ સ્ટોર માંથી 10 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹5,000 દંડ કરવામાં આવ્યો હતો

નવસારીના નાગરિકોને અપીલ:

નવસારી મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી થેલીઓ અને અન્ય નોન-ઓથોરાઈઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા તેમજ નાગરિકોનું સહકાર સાથે શહેરને પર્યાવરણ મિત્ર બની અને સ્વચ્છ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપવા રહ્યો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *