નવસારીના આઇકોનિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર વિશ્વ યોગ દિવસ ઉજવાયો

નવસારીના આઇકોનિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર વિશ્વ યોગ દિવસ ઉજવાયો

સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસનને વેગવાન બનાવવા માટે નવસારી શહેરના ઐતિહાસિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી પર સવારે સામૂહિક યોગ સાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગપ્રેમીઓએ વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી.

આ કાર્યક્રમમાં એન.સી.સી.કેડેટ, સામાજીક અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *