સંવિધાન સંરક્ષણનો સંકલ્પ: કટોકટીના ૫૦ વર્ષ પર નવસારીમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે મશાલ રેલી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
- Local News
- June 25, 2025
- No Comment
નવસારીમાં “સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫” નિમિત્તે જનજાગૃતિ અને મશાલ રેલી યોજાઈ
નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા “સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫” નિમિત્તે લોકશાહી અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મતિયા પાટીદાર વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમ ૧૯૭૫ની કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે માત્ર યાદગીરીના રૂપમાં નહિ પણ લોકશાહી સંકલ્પના દ્રઢ કરવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ ,ધારાસભ્ય નવસારી રાકેશભાઈ દેસાઈ અને ગણદેવીના નરેશભાઈ પટેલ,ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના પ્રવચનો દ્વારા લોકશાહીની અહમિયત, બંધારણની પવિત્રતા અને નાગરિક અધિકારોના રક્ષણ માટે સચેત રહેવાનું આહ્વાન કરાયું હતું
કટોકટીના સમયગાળાના ભોગ બનેલ કેટલાક વિકટિમ્સે પોતાની કરૂણ અનુભૂતિઓ સભામાથે વહેંચતા સમગ્ર વાતાવરણ ભાવુક બન્યું. આ સંવેદનશીલ ક્ષણોએ ૧૯૭૫ની ઘટનાઓ ફરી એકવાર લોકોને વિચારશીલ બનાવી દીધા હતા.

આ પ્રસંગે આયોજિત મશાલ રેલી સમગ્ર કાર્યક્રમનો કેન્દ્રબિંદુ રહી હતી. મતિયા પાટીદાર વાડીથી શહેરના સર્કિટ હાઉસ સુધી યોજાયેલી રેલીમાં સહસ્રો લોકોએ ભાગ લીધો હતો “બંધારણ અમર રહેઃ”, “લોકશાહી બચાવો” જેવા સુત્રોચ્ચારો સાથે રાષ્ટ્રીય જાગૃતિનો અનોખો શોભાયાત્રા રૂપે સંદેશ પ્રસારીત થયો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોની ઉર્જા દ્રષ્ટિએ આ રેલીને ખાસ નોંધપાત્ર બનાવતી હતી.

આ કાર્યક્રમમાં ૭૬૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં લો વિભાગના વિદ્યાર્થીઓ, સ્કૂલોના વિધ્યાર્થીઓ,લીગલ એક્સપર્ટ્સ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનોનો ઉત્સાહભર્યો સહભાગી બન્યા હતા.કાર્યક્રમના અંતે “મારું બંધારણ મારું ગૌરવ” સંકલ્પ સાથે સૌએ લોકશાહી અને બંધારણની રક્ષા માટે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમ સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા જાગૃતિલક્ષી ઉદ્દેશ્યો સાથે એક ખૂબ જ સફળ અને ચિંતનપ્રેરક પ્રવૃત્તિ તરીકે નોંધાયો હતો.