નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દરમિયાન જેલવાસ ભોગવના સન્માન કરવામાં આવ્યું

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દરમિયાન જેલવાસ ભોગવના સન્માન કરવામાં આવ્યું

ભારતમાં ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટીના દુઃખદ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘કાળો દિવસ’ તરીકે યાદ કરવામાં આવે છે. લોકશાહીના ગુલામ બનાવાયા એ દિવસે ભાજપ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ અને રાષ્ટ્રીય વિચારધારા ની ઉજવણી કરવામાં આવે છે.

એ અનુસંધાનમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કટોકટી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કટોકટીના કાળ દરમિયાન લોકશાહી અને માળખાગત હક માટે લડીને જેલવાસ ભોગવનાર નવસારીના જેલવાસ ભોગવનારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને મહેમાનોના સ્વાગતથી થઈ હતી. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “કટોકટી એ માત્ર રાજકીય સમયગાળો નહીં, પણ દેશના લોકશાહી અસ્તિત્વ માટેનો કાળો અધ્યાય હતો.”

આ પ્રસંગે ખાસ આમંત્રણ હેઠળ પૂર્વ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ  નિરંજન જંજમેરા દ્વારા અભિપ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “કટોકતીના સમયે સમાજના દરેક વર્ગને—છે તે રાજકીય કાર્યકર હોય કે સામાન્ય નાગરિક—અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે લોકશાહી કેવળ દબાવવાનો પ્રયાસ નહીં કર્યો, પણ દેશના ભાવિ પર એક કાળું પડછાયું પાથર્યું હતું.”

પ્રોગ્રામ દરમિયાન કટોકતી દરમિયાન જેલવાસ ભોગવનાર તમામ મિસાવાસીઓને શાલ ઓઢાળી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારંભમાં વિધાનસભ્ય રાકેશ દેસાઈ, નરેશ પટેલ, પ્રદેશ મંત્રી શીતલ સોની, તેમજ ભાજપના જિલ્લા અને શહેરના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે લોકશાહી, બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રવાદ માટે પોતાનું બલિદાન આપનાર તમામ રાષ્ટ્રસંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *