દરિયાઈ કરંટે વધાર્યો ભય: નવસારીના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોય પડકારરૂપ બનેલ પરિસ્થિતિ ને રાજ્ય સરકાર હવે ગામનું અસ્તિત્વ બચાવી શકે એમ છે?!

દરિયાઈ કરંટે વધાર્યો ભય: નવસારીના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોય પડકારરૂપ બનેલ પરિસ્થિતિ ને રાજ્ય સરકાર હવે ગામનું અસ્તિત્વ બચાવી શકે એમ છે?!

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલના પગલે દરિયામાં પણ તોફાની લહેરો અને તેજ કરંટ સર્જાયો છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયાકાંઠે બંને ગામો રહીશોમાં હાલ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે.

દરિયામાં કરંટ વધતાં મોટા મોજા ઊછળી રહ્યા છે.ખાસ કરીને દરિયા કિનારે વસેલું બોરસી ગામ સર્વાધિક અસરગ્રસ્ત બન્યું છે.છેલ્લા ત્રણ દિવસથી એટલે અમાસ,એકમ અને આજે અષાઢી બીજ એમ ત્રણ ભરતીઓને લઈને ગામમાં ભરતીના પાણીનો પ્રવેશ થયો છે.ત્યાં રક્ષણકવચ એટલે કે પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે દરિયાની લહેરો સીધી ગામમાં ઘૂસીને નુકસાન પહોંચાડી રહી છે.

https://youtu.be/1Y9R5HZrd1s?si=ma62NABJfkNRMJao

પાણી ઘૂસતાં ગ્રામજનો મુશ્કેલીમાં:

ગામમાં દરિયું ઘૂસી જતા ખેતી તેમજ પીવાના પાણીને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જીવન જરૂરિયાતો સાથે એકદમ ભાઈના નેજા હેઠળ જીવી રહ્યા છે. ભરતીના પાણી પ્રવાહે ઘણા ઘરો અને રસ્તાઓ અવારનવાર પાણીમાં ગરકાવ થઈ જતા રહે છે.

ખેતી અને પાણીની સમસ્યા ઊભી:

દરિયાઈ પાણીના પ્રવેશથી બોરસી ગામની ખેતીવાડી પણ ગંભીર અસર હેઠળ આવી છે.ભરતીનું ખારું પાણી ખેતરોમાં ફરી વળતાં પાકો નાશ પામવાનો ખતરો ઊભો થયો છે.એટલું જ નહીં ગામના મીઠા પાણીના તળાવો પણ દરિયાઈ ભરતીના કારણે ખારા થયા છે,જેના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

સરકાર સમક્ષ રક્ષણ દીવાલની માંગ:

ગામના અસ્તિત્વ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.સ્થાનિકોનું કહેવું છે કે જો આવું જ ચાલુ રહેશે તો આવતા કેટલાક વર્ષોમાં બોરસી ગામ ન રહીને દરિયા હેઠળ સમાઈ જશે. ગામલોકોએ તાત્કાલિક રીતે રક્ષણ દીવાલ બાંધવાની માગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિથી બચી શકાય એમ છે.

નિષ્કર્ષ:

દરિયાઈ પ્રકૃતિના આકસ્મિક અને ક્રૂર સ્વરૂપ સામે હાલ બોરસી ગામ લાચાર બની ગયું છે. સરકાર અને તંત્રે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ જેથી આ તટીય ગામોનું રક્ષણ થાય અને સ્થાનિક નાગરિકોને જીવલેણ સંકટમાંથી બચાવી શકાય.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *