દરિયાઈ કરંટે વધાર્યો ભય: નવસારીના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોય પડકારરૂપ બનેલ પરિસ્થિતિ ને રાજ્ય સરકાર હવે ગામનું અસ્તિત્વ બચાવી શકે એમ છે?!

દરિયાઈ કરંટે વધાર્યો ભય: નવસારીના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોય પડકારરૂપ બનેલ પરિસ્થિતિ ને રાજ્ય સરકાર હવે ગામનું અસ્તિત્વ બચાવી શકે એમ છે?!

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલના પગલે દરિયામાં પણ તોફાની લહેરો અને તેજ કરંટ સર્જાયો છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયાકાંઠે બંને ગામો રહીશોમાં હાલ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે.

દરિયામાં કરંટ વધતાં મોટા મોજા ઊછળી રહ્યા છે.ખાસ કરીને દરિયા કિનારે વસેલું બોરસી ગામ સર્વાધિક અસરગ્રસ્ત બન્યું છે.છેલ્લા ત્રણ દિવસથી એટલે અમાસ,એકમ અને આજે અષાઢી બીજ એમ ત્રણ ભરતીઓને લઈને ગામમાં ભરતીના પાણીનો પ્રવેશ થયો છે.ત્યાં રક્ષણકવચ એટલે કે પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે દરિયાની લહેરો સીધી ગામમાં ઘૂસીને નુકસાન પહોંચાડી રહી છે.

https://youtu.be/1Y9R5HZrd1s?si=ma62NABJfkNRMJao

પાણી ઘૂસતાં ગ્રામજનો મુશ્કેલીમાં:

ગામમાં દરિયું ઘૂસી જતા ખેતી તેમજ પીવાના પાણીને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જીવન જરૂરિયાતો સાથે એકદમ ભાઈના નેજા હેઠળ જીવી રહ્યા છે. ભરતીના પાણી પ્રવાહે ઘણા ઘરો અને રસ્તાઓ અવારનવાર પાણીમાં ગરકાવ થઈ જતા રહે છે.

ખેતી અને પાણીની સમસ્યા ઊભી:

દરિયાઈ પાણીના પ્રવેશથી બોરસી ગામની ખેતીવાડી પણ ગંભીર અસર હેઠળ આવી છે.ભરતીનું ખારું પાણી ખેતરોમાં ફરી વળતાં પાકો નાશ પામવાનો ખતરો ઊભો થયો છે.એટલું જ નહીં ગામના મીઠા પાણીના તળાવો પણ દરિયાઈ ભરતીના કારણે ખારા થયા છે,જેના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

સરકાર સમક્ષ રક્ષણ દીવાલની માંગ:

ગામના અસ્તિત્વ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.સ્થાનિકોનું કહેવું છે કે જો આવું જ ચાલુ રહેશે તો આવતા કેટલાક વર્ષોમાં બોરસી ગામ ન રહીને દરિયા હેઠળ સમાઈ જશે. ગામલોકોએ તાત્કાલિક રીતે રક્ષણ દીવાલ બાંધવાની માગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિથી બચી શકાય એમ છે.

નિષ્કર્ષ:

દરિયાઈ પ્રકૃતિના આકસ્મિક અને ક્રૂર સ્વરૂપ સામે હાલ બોરસી ગામ લાચાર બની ગયું છે. સરકાર અને તંત્રે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ જેથી આ તટીય ગામોનું રક્ષણ થાય અને સ્થાનિક નાગરિકોને જીવલેણ સંકટમાંથી બચાવી શકાય.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *