વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી

વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી

વાપી-શામળાજી નેશનલ હાઇવેની દુર્દશાને લઈને અંતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ એક્શન મોડમાં આવીને હાઈવે પરની જર્જરિત સ્થિતિને જોઈને તેમણે પોતાનો કાફલો રોકીને નેહાના અધિકારીઓને સ્થળ પર બોલાવી નિરીક્ષણ કર્યું હતું અને સમારકામની કામગીરી અંગે તાત્કાલિક સ્થળ પર ચર્ચાઓ કરી હતી.

સાંસદ ધવલ પટેલ જણાવ્યું હતું કે આ માર્ગ આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે. જ્યાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.“હું ગયા વર્ષે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયો ત્યારે આ હાઈવેની હાલત જોયી હતી. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી પહેલાં હું નેહા અધિકારીઓ સાથે અહીં હાજર રહીને કામગીરી શરૂ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે,” એમ તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા માર્ગ માટે મંજૂરી આપી છે, જેના માટે સાંસદે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

નેહાના અધિકારી અનુજ શર્માએ જણાવ્યું કે, “104 કિમી હાઇવેના નવીનીકરણ માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 60 કિમીથી વધુ માર્ગનું નવીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. ચોમાસા ઋતુ દરમિયાન કામ ધીમું થયું છે, પરંતુ વરસાદ બાદ બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વાંસદા-ઉનાઈ વિસ્તારમાંથી પસાર થતા હાઈવેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.વાહનચાલકો અને સ્થાનિકોને રાહત આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *