વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી

વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી

વાપી-શામળાજી નેશનલ હાઇવેની દુર્દશાને લઈને અંતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ એક્શન મોડમાં આવીને હાઈવે પરની જર્જરિત સ્થિતિને જોઈને તેમણે પોતાનો કાફલો રોકીને નેહાના અધિકારીઓને સ્થળ પર બોલાવી નિરીક્ષણ કર્યું હતું અને સમારકામની કામગીરી અંગે તાત્કાલિક સ્થળ પર ચર્ચાઓ કરી હતી.

સાંસદ ધવલ પટેલ જણાવ્યું હતું કે આ માર્ગ આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે. જ્યાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.“હું ગયા વર્ષે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયો ત્યારે આ હાઈવેની હાલત જોયી હતી. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી પહેલાં હું નેહા અધિકારીઓ સાથે અહીં હાજર રહીને કામગીરી શરૂ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે,” એમ તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા માર્ગ માટે મંજૂરી આપી છે, જેના માટે સાંસદે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

નેહાના અધિકારી અનુજ શર્માએ જણાવ્યું કે, “104 કિમી હાઇવેના નવીનીકરણ માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 60 કિમીથી વધુ માર્ગનું નવીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. ચોમાસા ઋતુ દરમિયાન કામ ધીમું થયું છે, પરંતુ વરસાદ બાદ બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વાંસદા-ઉનાઈ વિસ્તારમાંથી પસાર થતા હાઈવેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.વાહનચાલકો અને સ્થાનિકોને રાહત આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *