વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી

વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી

વાપી-શામળાજી નેશનલ હાઇવેની દુર્દશાને લઈને અંતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ એક્શન મોડમાં આવીને હાઈવે પરની જર્જરિત સ્થિતિને જોઈને તેમણે પોતાનો કાફલો રોકીને નેહાના અધિકારીઓને સ્થળ પર બોલાવી નિરીક્ષણ કર્યું હતું અને સમારકામની કામગીરી અંગે તાત્કાલિક સ્થળ પર ચર્ચાઓ કરી હતી.

સાંસદ ધવલ પટેલ જણાવ્યું હતું કે આ માર્ગ આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે. જ્યાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.“હું ગયા વર્ષે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયો ત્યારે આ હાઈવેની હાલત જોયી હતી. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી પહેલાં હું નેહા અધિકારીઓ સાથે અહીં હાજર રહીને કામગીરી શરૂ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે,” એમ તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા માર્ગ માટે મંજૂરી આપી છે, જેના માટે સાંસદે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

નેહાના અધિકારી અનુજ શર્માએ જણાવ્યું કે, “104 કિમી હાઇવેના નવીનીકરણ માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 60 કિમીથી વધુ માર્ગનું નવીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. ચોમાસા ઋતુ દરમિયાન કામ ધીમું થયું છે, પરંતુ વરસાદ બાદ બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વાંસદા-ઉનાઈ વિસ્તારમાંથી પસાર થતા હાઈવેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.વાહનચાલકો અને સ્થાનિકોને રાહત આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *