નિરાલી હોસ્પિટલમાં “કેનવિન” કાર્યક્રમની સફળ ઉજવણી કેન્સર પ્રત્યે જાગૃતિ અને માનસિક સશક્તિકરણ માટે યોજાયો કાર્યક્રમ

નિરાલી હોસ્પિટલમાં “કેનવિન” કાર્યક્રમની સફળ ઉજવણી કેન્સર પ્રત્યે જાગૃતિ અને માનસિક સશક્તિકરણ માટે યોજાયો કાર્યક્રમ

નવસારીના નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલમાં, અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ૨૫મી જૂન, ૨૦૨૫ના રોજ “કેનવિન” કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાયો હતો.“ચાલો સાથે મળીને લડીયે” એમ સકારાત્મક મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર વિષે જાગૃતિ ફેલાવવાનો તથા દર્દીઓને માનસિક રીતે સશક્ત બનાવવાનો હતો.

નિરાલી હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્સરને હરાવી ચૂકેલા દર્દીઓએ પોતાના જીવનના સંઘર્ષમય અનુભવો વહેંચ્યા હતા. તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા મળેલી માનસિક અને માનવીય સહાય વિશે પણ દિલથી વાત કરી. બીજી તરફ, નિષ્ણાત તબીબોએ કેન્સર રોગના પ્રારંભિક લક્ષણો, નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શક માહિતી આપી હતી.

હોસ્પિટલના પરિવારજન સમાન વર્તન વિશે દર્દીઓ અને તેમના સગાઓએ હોસ્પિટલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નિરાલી હોસ્પિટલની સી.ઈ.ઓ ડો. રેશ્મા બુરાલે, કેન્સર નિષ્ણાતો, તબીબી સ્ટાફ તેમજ અનેક દર્દી પરિવારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો તથા સમાજજનોએ કાર્યક્રમની સુસંગતતા અને હોસ્પિટલની માનવતાવાદી દૃષ્ટિની પ્રશંસા કરી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *