નિરાલી હોસ્પિટલમાં “કેનવિન” કાર્યક્રમની સફળ ઉજવણી કેન્સર પ્રત્યે જાગૃતિ અને માનસિક સશક્તિકરણ માટે યોજાયો કાર્યક્રમ

નિરાલી હોસ્પિટલમાં “કેનવિન” કાર્યક્રમની સફળ ઉજવણી કેન્સર પ્રત્યે જાગૃતિ અને માનસિક સશક્તિકરણ માટે યોજાયો કાર્યક્રમ

નવસારીના નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલમાં, અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ૨૫મી જૂન, ૨૦૨૫ના રોજ “કેનવિન” કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાયો હતો.“ચાલો સાથે મળીને લડીયે” એમ સકારાત્મક મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર વિષે જાગૃતિ ફેલાવવાનો તથા દર્દીઓને માનસિક રીતે સશક્ત બનાવવાનો હતો.

નિરાલી હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્સરને હરાવી ચૂકેલા દર્દીઓએ પોતાના જીવનના સંઘર્ષમય અનુભવો વહેંચ્યા હતા. તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા મળેલી માનસિક અને માનવીય સહાય વિશે પણ દિલથી વાત કરી. બીજી તરફ, નિષ્ણાત તબીબોએ કેન્સર રોગના પ્રારંભિક લક્ષણો, નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શક માહિતી આપી હતી.

હોસ્પિટલના પરિવારજન સમાન વર્તન વિશે દર્દીઓ અને તેમના સગાઓએ હોસ્પિટલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નિરાલી હોસ્પિટલની સી.ઈ.ઓ ડો. રેશ્મા બુરાલે, કેન્સર નિષ્ણાતો, તબીબી સ્ટાફ તેમજ અનેક દર્દી પરિવારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો તથા સમાજજનોએ કાર્યક્રમની સુસંગતતા અને હોસ્પિટલની માનવતાવાદી દૃષ્ટિની પ્રશંસા કરી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *