નવસારીના બીલીમોરામાં સરકારી બસનો અકસ્માત: 40 મુસાફરોના આબાદ બચાવથી મોટી દુર્ઘટના ટળી: જુઓ વિડિઓ 

નવસારીના બીલીમોરામાં સરકારી બસનો અકસ્માત: 40 મુસાફરોના આબાદ બચાવથી મોટી દુર્ઘટના ટળી: જુઓ વિડિઓ 

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સરકારી બસને અકસ્માત નડ્યો હતો.બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ દિવાલ સાથે અથડાઈ.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ,બીલીમોરા થી નવસારી આવી રહેલી એક સરકારી બસ રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી.

https://youtu.be/WjS6yEEeAC4?si=6r5-5mZLo8b13hAV

પ્રારંભિક માહિતી મુજબ, બસનો ડ્રાઈવર ઝડપથી બસ ચલાવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક એક રિક્ષો સામે આવી ગઈ હતી. ટક્કર ટાળવાનો પ્રયાસ કરતાં બસ રિક્ષા સાથે અથડાઈ હતી. આ અચાનક અથડામણથી ડ્રાઈવર ઘબરાઈ ગયો અને બસને સાઈડમાં પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્ટેરીંગ પરથી તેનું કાબૂ છૂટી જતા બસ સીધી એક નજીકની બિલ્ડિંગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જો કે, સદનસીબે બસમાં સવાર તમામ 40 મુસાફરોને કોઈ ગંભીર ઈજાઓ થવા પામી નથી અને તેમનો આબાદ બચાવ થયો છે.બસ એકસીડન્ટમાં પાર્ક કરેલી બે અન્ય ખાનગી વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસ દ્વારા ડ્રાઈવરને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને વધુ પૂછપરછ માટે બીલીમોરા પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ સ્થળ પર હાજર લોકોને પૂછપરછના આધારે ડ્રાઈવરની ભૂલ કે વાહન ખરાબી  તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર ભારે ટ્રાફિક અને વધુ ઝડપથી આવતા વાહનોના કારણે આવા અકસ્માતોની શક્યતાઓ વધી રહી છે. લોકોમાં આ ઘટનાને લઇ ચિંતાની લાગણી પ્રસરી છે અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું જણાઈ રહ્યું છે.

તમામ મુસાફરો સલામત રહ્યા અને એક મોટી જાનહાનિ ટળી છે. અધિકારીઓએ કહ્યું કે બસ વ્યવસ્થાપન અને ડ્રાઈવરની કામગીરી અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *