નવસારીના ડો. અજય મોદીએ 60 વર્ષે સર્જ્યો ઇતિહાસ: વિશ્વપ્રસિદ્ધ કોમરેડ મેરેથોન 90 કિ.મી. 11 કલાક 54 મિનિટમાં પૂર્ણ કરી નવસારીનું ગૌરવ વધાર્યું

નવસારીના ડો. અજય મોદીએ 60 વર્ષે સર્જ્યો ઇતિહાસ: વિશ્વપ્રસિદ્ધ કોમરેડ મેરેથોન 90 કિ.મી. 11 કલાક 54 મિનિટમાં પૂર્ણ કરી નવસારીનું ગૌરવ વધાર્યું

  • Sports
  • June 21, 2025
  • No Comment

નવસારીના ડો. અજય મોદીએ સાઉથ આફ્રિકાની વિશ્વ પ્રસિદ્ધ 90 કિ.મી.ની કોમરેડ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરીને 60 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો છે. 8 જૂન, 2025ના રોજ યોજાયેલી આ મેરેથોનમાં તેમણે 11 કલાક 54 મિનિટનો સમય લઈ નવસારીના પ્રથમ રનર તરીકે આ સિદ્ધિ હાંસલ કરી અને વિશ્વભરમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે.

વિશ્વની સૌથી પડકારજનક મેરેથોનમાં આપ્યું શિરસ્ત્રાણ

પીટરમેરિટ્ઝબર્ગથી ડરબન સુધી યોજાયેલી આ મેરેથોનમાં 25,000થી વધુ આંતરરાષ્ટ્રીય રનર્સે ભાગ લીધો હતો. 1200 મીટર ઊંચા ચઢાણ અને 1900 મીટર ઢાળવાળા રસ્તે દોડવાનું પડકારરૂપ માનવામાં આવે છે. છતાં ડો. અજય મોદીએ ઉંમરને પડકાર આપીને આ દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

છ માસની સઘન તૈયારી અને ટીમ વર્કનું પરિણામ

આ સફળતા પાછળ ડો.અજય મોદીની સતત મહેનત, દૃઢ નિશ્ચય અને કોચ ડો. યોગેશ સાતવ તથા “રનહોલિક” ટીમનું માર્ગદર્શન મુખ્ય કારણ રહ્યું છે.તેમણે સાપુતારા, લવાસા અને સતારામાં તાલીમ લઈને દોડ માટે જાતને શારીરિક અને માનસિક રીતે તૈયાર કર્યો છે.

કટિબદ્ધ પરિવાર અને મિત્રોનો ભરોસો

તેમની સાથે તેમના પરિવારજનો એવા પત્ની નિરંજનાબેન, દીકરી ડો. સલોની અને જમાઈ ડો. વિસ્મય આવા કાર્ય માટે સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે.નવસારી રનર્સ અને સાયક્લિંગ ગ્રૂપ, તેમજ મિત્રો અને સહકાર્યકરો એવા ડો. આશિષ કાપડિયા, બોમી જાગીરદાર, હરિશ ટંડેલ અને અન્ય સભ્યોના સપોર્ટ થી આ યાત્રા સફળ બની છે.

સમર્પણ અને આત્મવિશ્વાસનું પ્રતીક

ડૉ. અજય મોદીની યાત્રા એ સાબિત કરે છે કે ઉંમર કોઈ અવરોધ નથી – દ્ઢનિશ્ચય, તૈયારી અને સાચા માર્ગદર્શનથી કોઈ પણ મંજિલ શક્ય છે. તેમના સંઘર્ષ અને સફળતાએ આજે સમગ્ર નવસારી માટે ગૌરવની ક્ષણ સર્જી છે  સાથેજ  આજના યુવાનો માટે એક જીવંત પ્રેરણા ઊભી કરી છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *