નવસારી પ્રવાસે આવેલા સી.આર. પાટીલની ટકોર : ગણેશજીની “મૂર્તિ નાની હોય તો પણ શ્રધ્ધા અને ભાવથી પૂજા થાય,મહત્વ આસ્થાનું છે”

નવસારી પ્રવાસે આવેલા સી.આર. પાટીલની ટકોર : ગણેશજીની “મૂર્તિ નાની હોય તો પણ શ્રધ્ધા અને ભાવથી પૂજા થાય,મહત્વ આસ્થાનું છે”

નવસારીની મુલાકાતે આવેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ ગણેશ ચતુર્થીને લઈ મંચ પરથી મહત્વપૂર્ણ સંદેશો આપતા ટકોર કરી હતી.

https://youtu.be/iuEqBqM9V5U?si=5hJBbnqpY_Vaes2a

તેઓએ જણાવ્યું કે, “ગણપતિની પ્રતિમા નાની હોય તો પણ પૂજા થાય છે. આસ્થા મુખ્ય છે, પ્રતિમાની ઊંચાઈ નહીં.” દરેક વર્ષે મૂર્તિ સ્થાપન સમયે ઉદભવતા વિવાદોને ધ્યાનમાં રાખી તેમણે અધિકારીઓને અગાઉથી આયોજન અને વ્યવસ્થાની કડક સૂચનાઓ આપી હતી.

તેમણે જણાવ્યું કે, “વિસર્જનના તરત જ બીજા દિવસે મૂર્તિકારોને સૂચના આપવામાં આવે તો, મૂર્તિની ઊંચાઈ અને કદ પર નિયંત્રણ લાવી શકાય છે.”

બીજી તરફ, નવસારી માટે વંદે ભારત ટ્રેનના નવા સ્ટોપેજના પ્રસ્તાવને મંજૂરી મળતા લોકોમાં આનંદનો માહોલ છે. વર્ષોથી ચાલી રહેલી માંગને આખરે મંજુર મળતા, નવસારી ખાતે લોકો અને કાર્યકર્તાઓએ સી.આર. પાટીલનું હાર્દિક સન્માન કર્યું હતું.

પ્રેસ સાથે વાતચીત દરમિયાન પાટીલએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સ્ટોપેજ મળવું નવસારી માટે મહત્વપૂર્ણ છે. ટ્રેન સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ કામ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં વધુ ઉકેલો મળશે.”

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *