નવસારીના બે પોલીસ અધિકારીઓનું સન્માન:ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ તથા પીએસઆઈ યોગેશદાન ગઢવીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા

નવસારીના બે પોલીસ અધિકારીઓનું સન્માન:ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ તથા પીએસઆઈ યોગેશદાન ગઢવીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા

નવસારી જિલ્લાને ગૌરવ અપાવતા જિલ્લાનાં બે પોલીસ અધિકારીઓને તેમના શૌર્ય, બહાદુરી અને ફરજપ્રત્યેની નિષ્ઠા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.ગાંધીનગર ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

https://youtube.com/shorts/r0OlgNpcm-M?si=ZW833NTBbzvlOo_j

આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા પોલીસ મહાનિદેશક (ડીજીપી) વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લાના ચીખલી ડિવિઝનમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડિવાયએસપી) તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ગોહિલ તથા નવસારી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) યોગેશદાન ગઢવીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો છે.

બંને અધિકારીઓએ પોતાની કાર્યક્ષમતા અને ફરજ પ્રત્યે અડગ કર્તવ્યનિષ્ઠાથી અનેક ગંભીર તથા સંવેદનશીલ ગુનાઓ ઉકેલીને પોલીસ તંત્રની છબી મજબૂત બનાવી છે. ડિવાયએસપી ભગીરથસિંહ ગોહિલના નામની પસંદગી વર્ષ 2024માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે પીએસઆઈ યોગેશદાન ગઢવીના નામની જાહેરાત 2022માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે થઈ હતી.

આ પ્રતિષ્ઠિત સન્માન તેમની ફરજ દરમિયાન અસાધારણ કામગીરીનું પ્રમાણ છે અને અન્ય પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *