નવસારીના બે પોલીસ અધિકારીઓનું સન્માન:ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ તથા પીએસઆઈ યોગેશદાન ગઢવીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા

નવસારીના બે પોલીસ અધિકારીઓનું સન્માન:ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ તથા પીએસઆઈ યોગેશદાન ગઢવીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા

નવસારી જિલ્લાને ગૌરવ અપાવતા જિલ્લાનાં બે પોલીસ અધિકારીઓને તેમના શૌર્ય, બહાદુરી અને ફરજપ્રત્યેની નિષ્ઠા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.ગાંધીનગર ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

https://youtube.com/shorts/r0OlgNpcm-M?si=ZW833NTBbzvlOo_j

આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા પોલીસ મહાનિદેશક (ડીજીપી) વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લાના ચીખલી ડિવિઝનમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડિવાયએસપી) તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ગોહિલ તથા નવસારી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) યોગેશદાન ગઢવીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો છે.

બંને અધિકારીઓએ પોતાની કાર્યક્ષમતા અને ફરજ પ્રત્યે અડગ કર્તવ્યનિષ્ઠાથી અનેક ગંભીર તથા સંવેદનશીલ ગુનાઓ ઉકેલીને પોલીસ તંત્રની છબી મજબૂત બનાવી છે. ડિવાયએસપી ભગીરથસિંહ ગોહિલના નામની પસંદગી વર્ષ 2024માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે પીએસઆઈ યોગેશદાન ગઢવીના નામની જાહેરાત 2022માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે થઈ હતી.

આ પ્રતિષ્ઠિત સન્માન તેમની ફરજ દરમિયાન અસાધારણ કામગીરીનું પ્રમાણ છે અને અન્ય પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *