નવસારી શહેરના મધ્યમાં:સ્વ્યંમભૂ અને પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરમાં 800 કિલો બરફથી અમરનાથ શિવલિંગ બનાવાયું,દર્શન કરી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ: જુઓ વિડિઓ  

નવસારી શહેરના મધ્યમાં:સ્વ્યંમભૂ અને પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરમાં 800 કિલો બરફથી અમરનાથ શિવલિંગ બનાવાયું,દર્શન કરી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ: જુઓ વિડિઓ  

દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્યામ મહારાજ પરિવાર દ્વારા 12 વર્ષ આ પંરપરા ચાલી રહી છે

https://youtu.be/i-n0gpO9rts?si=tQXyPJLHv6aQUrsm

નવસારી શહેરના હૃદયસ્થલે(મધ્યમાં) આવેલા પૌરાણિક સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસે ભક્તો માટે ખાસ આકર્ષણ રૂપે બાબા અમરનાથની પ્રતિકૃતિ સ્વરૂપે બરફનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. મંદિરમાં સ્થાપિત આ શિવલિંગ તૈયાર કરવા માટે આશરે 800 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મંદિરના મહારાજ પરિવાર દ્વારા સૌમ્યતા અને શ્રદ્ધાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.

આ ભવ્ય અને મનોહર શિવલિંગની રચનાની પરંપરા છેલ્લા 12 વર્ષોથી અનવરતપણે જાળવવામાં આવી રહી છે. મહાદેવના દર્શન માટે સવારે 8:00 વાગ્યાથી રાત્રે સુધી ભક્તોનો સતત પ્રવાહ જોવા મળે છે.

મંદિરના પૂજારી ધર્મેશભાઈના જણાવ્યા અનુસાર, દેવેશ્વર મહાદેવનું મંદિર અત્યંત પૌરાણિક અને શ્રદ્ધાસ્થળ છે. શ્રાવણ માસ દરમ્યાન અહીં દરરોજ સવાર અને સાંજ મહાદેવની વિશિષ્ટ આરતી અને શણગાર કરવામાં આવે છે. મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજને 12 વર્ષ પહેલા વિચાર આવ્યો કે જે ભક્તો કોઈ કારણસર જમ્મુ-કાશ્મીર ખાતે અમરનાથ યાત્રા કરી શકતા નથી, તેમને માટે નવસારીમાં અહિં મંદિર પરીસરમાં દર્શન અને વાતાવરણ ઉપલબ્ધ થાય અને એથી આ પવિત્ર પરંપરાનો આરંભ થયો હતો. આ વર્ષે પણ બાબા બરફાની બરફની કૃતિ તૈયાર કરવામાં આવી છે

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથનું બરફનું શિવલિંગ વહેલું ઓગળી જતા, અનેક ભક્તો નિરાશ થયા હતા. ત્યારે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયેલું આ શિવલિંગ ભાવિકો માટે આશાનો કિરણ બની રહ્યું છે.

દર્શનાર્થે આવેલા યુવાન પરેશ બલદાણીયાએ જણાવ્યું કે, “દર વર્ષની જેમ આ વર્ષે પણ બરફથી બનેલું શિવલિંગ જોઈને ખૂબ જ આનંદ થયો.અહીં આવીને દર્શન કર્યા પછી એવું લાગે છે કે જાણે અમે અમરનાથ યાત્રા પર જ ગયાં છીએ.મને દરેક શ્રાવણ માસે શિવ મંદિર જવાનું ખૂબ ગમે છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *