“તીસરી ગલી ગેંગના છ આરોપીઓનો પોલીસે ‘વરઘોડો’ કાઢયો: નવસારી પોલીસનું ગુનેગારો વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા વલણ”

“તીસરી ગલી ગેંગના છ આરોપીઓનો પોલીસે ‘વરઘોડો’ કાઢયો: નવસારી પોલીસનું ગુનેગારો વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા વલણ”

નવસારી જિલ્લા પોલીસે ગુનેગારો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ‘તીસરી ગલી ગેંગ’ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે બીલીમોરા શહેરમાં આ ગેંગના છ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓને એમ.જી. રોડથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા ફેરવવામાં આવ્યા હતા.

https://youtu.be/m8OO4zW7i5g?si=UQiz2eIG9jL9s2Zb

પોલીસે ડેપોથી તીસરી ગલી સુધી આરોપીઓને પગપાળા લઈ જઈ શહેરજનોને જાહેર સંદેશ આપ્યો કે અપરાધી તત્વો માટે હવે કોઈ છૂટછાટ નહિ મળે. આ પગલાથી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પ્રતિબદ્ધતા દાખવીને નાગરિકોમાં વિશ્વાસ અને ભયમુક્ત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

ગેંગ પર GUJCTOC હેઠળ ગુનો નોંધાયો છે.

નવસારી જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી સક્રિય આ સંગઠિત ગુનાખોરી ટોળકી વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, 2015 (GUJCTOC) હેઠળ ગુનો નોંધાયો છે. ટોળકીની દહેશત એટલી હતી કે સામાન્ય નાગરિકો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ડરતા હતા.

ગેંગના મુખ્ય સરગના સહિત 7 સભ્યો ઝડપાયા

ગેંગનો મુખ્ય દાવેદાર અમીન અનવર શેખ (ઉ.વ. 42) છે. તે ખૂન, અપહરણ, ધાડ, બળાત્કાર અને ખૂનની કોશિષ જેવા ગંભીર ગુનાઓમાં સામેલ રહ્યો છે. તેની સાથે અન્ય આરોપીઓમાં રોનક ઉર્ફે બોબડો ગિરીશભાઈ પટેલ (ઉ.વ. 24), કેવીન નિલેશભાઈ પટેલ (ઉ.વ. 27), મનોજ ઉર્ફે પદ શિવાજી પાટીલ (ઉ.વ. 35), ગૌરવ રાજેશ ચોટલીયા (ઉ.વ. 30) અને માઝ ફકરૂદીન શેખનો સમાવેશ થાય છે. વધુમાં મહમદ સાબીર ઈસરાફીલ અંસારીને પણ પકડી લેવામાં આવ્યો છે.આ તમામ સામે ખૂન, ખૂનની કોશિષ, અપહરણ, ધાડ, બળાત્કાર, મારામારી, પ્રોહીબિશન સહિત કુલ 42 ગુનાઓ નોંધાયેલા છે.

એસઆઈટી દ્વારા કાર્યવાહી, ડીવાયએસપી ગોહિલને નેતૃત્વ સોપાયું

આ સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષકે વિશેષ તપાસ ટીમ ની રચના કરી હતી, જેમાં ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ વી.ગોહિલના નેતૃત્વમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની અસરકારક કાર્યવાહીથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરાઈ 

આ ઘટનાથી નવસારી જિલ્લામાં ગુનેગારો માટે કડક સંદેશો ગયો છે. તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં આવા પગલાઓ મહત્વપૂર્ણ બની રહ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત બનશે, તેવો આત્મવિશ્વાસ પણ પોલીસ વિભાગે વ્યક્ત કર્યો છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *