“જુગારની લતે” પહેલા પાકિટ માર હવે રીઢો ચોર : 70 વર્ષીય હર્ષદ તન્નાને નવસારી એલસીબી ઝડપાયો, 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

“જુગારની લતે” પહેલા પાકિટ માર હવે રીઢો ચોર : 70 વર્ષીય હર્ષદ તન્નાને નવસારી એલસીબી ઝડપાયો, 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નવસારી જિલ્લાના એલસીબી વિભાગે 70 વર્ષીય રીઢા અને ગુનાઓના લાંબા ઇતિહાસ ધરાવતા ચોર હર્ષદ તન્નાને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. મૂળ રાજકોટનો રહેવાસી અને હાલમાં દક્ષિણ ગુજરાતમાં ચોરીના જુના ખેલાડી તરીકે ઓળખાતો હર્ષદ તન્નાએ 30 જુલાઈ, 2025ના રોજ બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની એક ઘટના અંજામ આપી હતી.

https://youtu.be/5QdVCxi573c?si=zruzylXBptEMpMV6

એલસીબીએ તેની ધરપકડ કરી ત્યારે તેના પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹2,63,810ના મુદ્દામાલનો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે તે અગાઉ રેલવેમાં પાકીટ મારી કરતો હતો.પરંતુ વારંવાર પકડાઈ જતા તેણે બંધ ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

હર્ષદ તન્નાને જુગારનો મોટો શોખ છે. આ લતને કારણે તે સતત પૈસાની શોધમાં રહેતો હતો અને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં વિહેલી ઘડીએ ખાલી પડેલા ઘરોમાં ઘુસીને ચોરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. લોકો તેમની ઉંમર જોઈને શંકા પણ કરતા ન હતા – જે તેમનો સૌથી મોટો ફાયદો બનતો. બીલીમોરામાં થયેલી તાજેતરની ચોરી માત્ર ત્રણ મિનિટમાં પુરા કરીને તે ભાગી છૂટ્યો હતો.

તેમનો ગુનાહિત ઈતિહાસ નોંધપાત્ર છે. સુરત ગ્રામ્યના બારડોલી, કડોદરા અને કામરેજ પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ કલમ 380 અને 454 હેઠળ કેસ નોંધાયેલ છે. સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 12 હેઠળ કેસ નોંધાયેલો છે. ઉપરાંત, ભરૂચ શહેર, અંકલેશ્વર, મંગરોળ અને વેડરોડ સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ ચોરને પકડવા માટે ખાસ તપાસ ટીમ રચવામાં આવી હતી, જેમાં પી.આઈ. બી.જે. જાદવ, પી.એસ.આઈ. આર.પી. ગોહિલ, પી.ડી.એમ. રાઠોડ, પી.એસ.આઈ. વાય.જી. ગઢી, એસ.આઈ. દિગ્વિજયસિંહ જગતસિંહ અને અન્ય સ્ટાફની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *