નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ દ્વારા “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી શાળાઓમાં જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું

નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ દ્વારા “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી શાળાઓમાં જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું

દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે.તે અંતર્ગત નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા એક સપ્તાહ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું.

આ અભિયાન હેઠળ નવસારીની એ.બી. સ્કૂલ સહિત અનેક શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન, જૈવિક મહત્વ અને સ્થાનિક પર્યાવરણમાં તેમની ભૂમિકા અંગે માહિતગાર કરવાનો હતો.

શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં નવસારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલે સિંહોના સંરક્ષણ માટે વન વિભાગના પ્રયાસો અંગે વિગતવાર માહિતિ આપી હતી. તેમણે સિંહોની વર્તણૂક, જીવનચક્ર અને માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટેના પગલાં અંગે પણ ચર્ચા કરી હતી.

આ અવસરે વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી, પોતાના વાવેલા વૃક્ષને સાચવવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ સિંહોના કુદરતી નિવાસસ્થાનનું રક્ષણ અને સહઅસ્તિત્વ પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં શપથ લીધા હતા

જનજાગૃતિ અભિયાન અંતર્ગત નવસારીના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વનસંરક્ષક કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, ગોષ્ઠી તેમજ જાહેર સ્થળોએ રેલી જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ તમામ પ્રવૃત્તિઓ મારફતે “સિંહ બચાવો”નો સંદેશ પ્રસરાવ્યો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *