નવસારી મહાનગરપાલિકા વિસ્તારના પશુમાલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટ સુધી ફરજીયાત કરાવી લેવું

નવસારી મહાનગરપાલિકા વિસ્તારના પશુમાલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટ સુધી ફરજીયાત કરાવી લેવું

નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. ૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં ઘણા પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી.

નવસારી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવા માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન જરૂરી છે. તે મુજબ, તમામ પશુપાલકોને તા. ૩૧.૦૮.૨૦૨૫ સુધીમાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન નવસારી મહાનગરપાલિકાની વેબ સાઈટ https://nmc.gujarat.gov.in તથા ઓફલાઈન દુધિયા તળાવ સ્થિત નવસારી મહાનગરપાલિકાની કચેરીના રખડતા ઢોર અંકુશ વિભાગની કચેરીમાં જઈ કરાવી લેવું.

તા. ૦૧.૦૯.૨૦૨૫થી મહાનગરપાલિકા વિસ્તારના પાલતુ પશુઓના ટેગીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાની અંગત જવાબદારી પશુ માલિકની રહેશે.

નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. આવા પકડાયેલા પશુઓને પાજરાપોળમાં મુકવામાં આવી રહ્યા છે ટેગ વિના પકડાયેલા પશુઓ પર પશુ માલિકનો કોઇ હક રહેશે નહીં, તેની ખાસ નોંધ પશુપાલકોએ લેવી.

નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન તથા ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ કરી સહકાર આપવા નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગના અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *