નવસારી મહાનગરપાલિકા વિસ્તારના પશુમાલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટ સુધી ફરજીયાત કરાવી લેવું

નવસારી મહાનગરપાલિકા વિસ્તારના પશુમાલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટ સુધી ફરજીયાત કરાવી લેવું

નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. ૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં ઘણા પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી.

નવસારી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવા માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન જરૂરી છે. તે મુજબ, તમામ પશુપાલકોને તા. ૩૧.૦૮.૨૦૨૫ સુધીમાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન નવસારી મહાનગરપાલિકાની વેબ સાઈટ https://nmc.gujarat.gov.in તથા ઓફલાઈન દુધિયા તળાવ સ્થિત નવસારી મહાનગરપાલિકાની કચેરીના રખડતા ઢોર અંકુશ વિભાગની કચેરીમાં જઈ કરાવી લેવું.

તા. ૦૧.૦૯.૨૦૨૫થી મહાનગરપાલિકા વિસ્તારના પાલતુ પશુઓના ટેગીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાની અંગત જવાબદારી પશુ માલિકની રહેશે.

નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. આવા પકડાયેલા પશુઓને પાજરાપોળમાં મુકવામાં આવી રહ્યા છે ટેગ વિના પકડાયેલા પશુઓ પર પશુ માલિકનો કોઇ હક રહેશે નહીં, તેની ખાસ નોંધ પશુપાલકોએ લેવી.

નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન તથા ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ કરી સહકાર આપવા નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગના અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *