નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજરવાસ જાગૃકતા સપ્તાહની ઉજવણી

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજરવાસ જાગૃકતા સપ્તાહની ઉજવણી

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા ઓગસ્ટની તા.૧૬ થી ૨૨ સુધીનાં અઠવાડિયાને દર વર્ષે ગાજરઘાસ જાગૃકતા સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવણી દ્વારા ખેતરમાં કે શેઢા પાળેની જમીનમાં થતાં ગાજરઘાસ વૈજ્ઞાનિક નામ પાર્થેનિયમ ઘાસ/નીંદણને દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે.

જે અંતર્ગત ખેડૂત સમાજમાં આ વિદેશી ઘાસની હાનિકારક અસર નિવારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં માર્ગદર્શનથી નવસારી જીલ્લાનાં જુદા જુદા ગામોમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા જાગૃતતા લાવવા આયોજનો કરાયેલ હતા. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સુમિત સાળંખે અને સર્વ અધિકારીગણ દ્વારા કેન્દ્રનાં ફાર્મની જમીનમાં ઉગેલ ગાજરથાસને દૂર કરી તેનું નાડેપ કમ્પોસ્ટ યુનિટમાં ખાતરમાં વિઘટન કરવાનું આયોજન કરાયું હતું

તેમજ ખાપરીયા અને માણેકપોર ગામે ખેડૂત મીટીંગનું આયોજન તા.૨૨/૦૮/૨૦૨૫ નાં રોજ કરાયેલ હતું જેમાં કેન્દ્રનાં ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે આ વિદેશી ઘાસ દ્વારા જમીનને થતાં નુકશાન અને માનવ સ્વાસ્થયને થતી હાનિકારક અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઘાસને પોતાના ખેતરમાંથી દૂર કરી તેમાંથી ખાતર બનાવટ, વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ૮૦ થી વધુ ખેડૂત ભાઈ–બહેનોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *