નવસારીમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ મહોત્સવ ૨૦૨૫ પ્રતિયોગિતા: પરંપરા,પર્યાવરણ અને સામાજિક સંદેશનો અનોખો મેળાપ

નવસારીમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ મહોત્સવ ૨૦૨૫ પ્રતિયોગિતા: પરંપરા,પર્યાવરણ અને સામાજિક સંદેશનો અનોખો મેળાપ

પંડાલ શણગાર,સામાજીક સંદેશ,ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા,દેશભક્તિની ઝાંખી,સ્વદેશી પ્રેરણા,વિગેરે મુદ્દાઓનો ખાસ ધ્યાનમાં લેવાશે

સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચે તે હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજ્ય સરકાર યુવક સેવા અને સાંકૃતિક વિભાગ દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા મથક ખાતે યોજાનાર ગણપતિ મહોત્સવ દરમ્યાન શહેરનાં વિવિધ ગણેશ પંડાલમાંથી “બેસ્ટ ઓફ” પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા સ્થાનિક કક્ષાની અમલિકરણ સમિતિ દ્વારા રીતે હાથ ધરાશે.

શ્રેષ્ઠ ગણેશ પંડાલ મહોત્સવ–૨૦૨૫ના માપદંડમાં મુખ્યત્વે પંડાલ શણગાર, સામાજીક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા, દેશભક્તિની ઝાંખી, સ્વદેશી પ્રેરણા,પંડાલની સ્થળ પસંદગી વિગેરે મુદ્દાઓનો ખાસ ધ્યાનમાં લેવામાં આવશે.

આ ઉપરાંત વિજેતા ગણેશ પંડાલોને રોકડ પુરસ્કાર તથા સન્માન આપવામાં આવશે.જેમાં પ્રથમ ક્રમાંકે ૫ લાખ, દ્વિતીય ક્રમાંકે ૩ લાખ તથા તૃતિય ક્રમાંકે ૧.૫૦ લાખ પુરસ્કાર રકમ મળશે.

વધુમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંકે ૫૦ હજાર, દ્વિતીય ક્રમાંકે ૨૫ હજાર તથા તૃતિય ક્રમાંકે ૧૫ હજાર પુરસ્કાર રકમ ગણેશ પંડાલને મળશે.

આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ ગણેશ મંડળો આ પ્રતિયોગિતા માં જોડાઈને પરંપરા સાથે પર્યાવરણ જાળવણી તથા સામાજિક સંદેશના પ્રચાર-પ્રસાર માટે સહભાગી બને તે જરૂરી છે.

આ મીડિયા કોન્ફરન્સમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી,જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા તથા જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *