મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા

વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મીની વાવાઝોડા સાથે અતિભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાના કારણે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું.અનેક HT-LT પોલ ધરાશાયી થયા હતા, ટ્રાન્સફોર્મરમાં ખામી ઊભી થઈ હતી અને વૃક્ષો વીજ લાઇન પર પડી જતાં વિતરણ નેટવર્ક ખોરવાયું હતું.

પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો હતો. અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ અને આશરે ૪૦ કોન્ટ્રાકટર ગેંગોએ સતત દિવસ-રાત મરામત કામગીરી કરી હતી. ચીખલી,બિલીમોરા,વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને વાંસદા તાલુકા જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાની મશીનરી અને વાહનોની મદદથી વીજ પુરવઠાનું પુનઃસ્થાપન ઝડપી ગતિએ હાથ ધરાયું હતું.

જિલ્લામાં થયેલું નુકસાન

વલસાડ: ૧ HT પોલ, ૩૫ LT પોલ અને ૧ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૧૨૬૬ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

નવસારી: ૧૧૪ HT પોલ, ૧૩૦ LT પોલ અને ૯ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૩૬,૭૫૪ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

ડાંગ: ૧૯ HT પોલ, ૨ LT પોલ અને ૨ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૩૮૨૦ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા:કુલ મળી ૧૩૪ HT પોલ, ૧૬૭ LT પોલ અને ૧૨ ટ્રાન્સફોર્મરને નુકસાન થતા ૪૧,૮૪૦ જેટલા ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાતા હાલ મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *