નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, નવસારી તથા એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જલાલપોરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોર તથા તેમની ટીમે સાયબર ક્રાઈમ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. સાથે જ ગુજરાત સ્ટેટ સાયબર સિક્યોરિટીના વોલેન્ટિયર પરેશ નાગપાલે વર્તમાન સમયમાં વધતા સાયબર ગુનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આજના યુગમાં દરેકના હાથમાં સ્માર્ટફોન છે, અને તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો ખૂબ જરૂરી છે. ખોટા લિંક્સ, ફિશિંગ કોલ્સ, ઓનલાઈન ટ્રેપ્સ અને વિવિધ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.

પરેશ નાગપાલે પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજાવ્યું કે કઈ રીતે વ્યક્તિ પોતાને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખી શકે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…
નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ગત રાત્રિ દરમિયાન મીની વાવાઝોડા લઈ તારાજીને લઈ ચીખલી તથા વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ…

નવસારીના ચીખલીના તલાવચોરા અને સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લીધી તેમજ વાંસદાના વિવિધ મીની વાવાઝોડાને લઈને વિવિધ વિસ્તારોની મુલાકાત સાથે વિવિધ વિભાગો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *