મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ 9,66,231 મતદારોનો સમાવેશ

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ 9,66,231 મતદારોનો સમાવેશ

ભારતનો ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે નવસારી જિલ્લામાં તા. 17/02/2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થવા પહેલા નવસારી જિલ્લાના ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ 10,95,900 મતદારો નોંધાયેલા હતા.મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ આ સંખ્યા 9,59,337 રહી હતી. હવે પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદીમાં કુલ 9,66,231 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરી પોતાનું નામ આવનારી મતદારયાદીમાં નોંધાવી શકશે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ નાગરિકો ફોર્મ નં. 6, 7 અને 8 દ્વારા નામ ઉમેરવા, કાઢવા અથવા સુધારવા માટે અરજી કરી શકશે.

નામ ચકાસવા માટેની સુવિધાઓ:

મતદારો નીચે દર્શાવેલ માધ્યમો દ્વારા પોતાનું નામ આખરી મતદારયાદીમાં ચકાસી શકે છે:

સત્તાવાર વેબસાઇટ: http://ceo.gujarat.gov.in

વોટર પોર્ટલ: voters.eci.gov.in

ECINET મોબાઇલ એપ

BLO (બૂથ લેવલ ઓફિસર)

જિલ્લા ચૂંટણી અધિકારી / ERO / AERO કચેરી

જો મતદારનું નામ યાદીમાં ન હોય તો ફોર્મ નં. 6 સાથે જરૂરી આધાર પુરાવા જોડીને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકાય છે. યાદીમાં દર્શાવેલી વિગતોમાં ભૂલ હોય તો ફોર્મ નં. 8 દ્વારા સુધારો કરી શકાય છે, જ્યારે કોઈ વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સમયસર મતદારયાદી ચકાસી જરૂરી સુધારા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ યોગ્ય મતદાર મતાધિકારથી વંચિત ન રહે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *