નવસારી ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદેદારો બીનહરીફ ચૂંટાયા: હરીશભાઈ મંગલાણીની પ્રમુખ તરીકે વરણી

નવસારી ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદેદારો બીનહરીફ ચૂંટાયા: હરીશભાઈ મંગલાણીની પ્રમુખ તરીકે વરણી

ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની હોદેદારોની ચૂંટણી બીનહરીફ પૂર્ણ

ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, નવસારીની વર્ષ ૨૦૨૬–૨૭ અને ૨૦૨૭–૨૮ માટેની હોદેદારોની ચૂંટણી બંધારણીય જોગવાઈઓ મુજબ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સંસ્થાના કુલ સાત હોદાઓ માટે નિયત કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રકો મંગાવવામાં આવ્યા હતા.

ગુરૂવાર તા. ૧૭/૦૨/૨૦૨૬ સાંજે ૪:૦૦ કલાક સુધીમાં કુલ સાત ઉમેદવારી પત્રકો પ્રાપ્ત થયા હતા. એ જ દિવસે સાંજે ૫:૩૦ કલાકે ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારી પત્રકોની ચકાસણી કરી માન્ય ઉમેદવારોની યાદી ચેમ્બરના નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવી હતી.

ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ ગુરૂવાર તા. ૧૯/૦૨/૨૦૨૬ સાંજે ૪:૦૦ કલાક સુધી હતી. પ્રમુખ, પ્રથમ ઉપપ્રમુખ, દ્વિતીય ઉપપ્રમુખ, માનદ મંત્રી, પ્રથમ માનદ સહમંત્રી, દ્વિતીય માનદ સહમંત્રી અને ખજાનચી તમામ સાત હોદાઓ માટે ફક્ત એક જ ઉમેદવારી પત્રક મળતા અને કોઈપણ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી ન લેતા તમામ ઉમેદવારોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. તેથી હવે ચૂંટણી પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં.

સન ૨૦૨૬–૨૭ અને ૨૦૨૭–૨૮ માટે બીનહરીફ ચૂંટાયેલા હોદેદારો

પ્રમુખ: હરીશભાઈ છોગાલાલ મંગલાણી

પ્રથમ ઉપપ્રમુખ: સુરજકુમાર ડાહયાલાલ સાંવલીયા

દ્વિતીય ઉપપ્રમુખ: સંજયકુમાર ઠાકોરભાઈ ગાંધી

માનદ મંત્રી: જીતેન્દ્ર ગોરધનભાઈ પણસારા

પ્રથમ માનદ સહમંત્રી: રમેશ ભગવાનજીભાઈ એરવાડીયા

દ્વિતીય માનદ સહમંત્રી: પરિમલ નટુભાઈ દેસાઈ

ખજાનચી: દિલીપભાઈ ઈશ્વરલાલ ધાએલ

ચેમ્બરના તમામ હોદેદારોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરતા વ્યાપારિક વર્તુળોમાં આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Related post

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ 9,66,231 મતદારોનો સમાવેશ

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ…

ભારતનો ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે નવસારી…
જીગર નાયકની નવસારી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરાઈ 

જીગર નાયકની નવસારી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે…

બે ટર્મ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ તેમજ 2019 અને 2024 લોકસભા ચૂંટણીના મીડિયા ઇન્ચાર્જ તરીકે સફળ અનુભવ ધરાવતા જીગર નાયકને નવી જવાબદારી…
પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા…

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ચાંદની ચોક ખાતે આવેલી તેમની પ્રતિમા પર ભાવભીની પુષ્પાંજલિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *