શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી, નવસારી) દ્વારા આ વર્ષનો પ્રતિષ્ઠિત ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ ગડતના જાણીતા તબીબ ડો. ગિરીશચંદ્ર ભીખુભાઈ નાયકને એનાયત કરવામાં આવ્યો છે.

સન્માન સમારોહ અને અતિથિ વિશેષ

​શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના સભાખંડમાં યોજાયેલા આ ભવ્ય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ડો. ગિરીશચંદ્ર નાયક માત્ર અનાવિલ સમાજનું જ નહીં પરંતુ સમગ્ર મેડિકલ ક્ષેત્રનું ગૌરવ છે.

સેવાભાવી વ્યક્તિત્વનો પરિચય

​ડૉ. ગિરીશચંદ્ર નાયક (B.Sc., MBBS) છેલ્લા ઘણા વર્ષોથી ગણદેવી તાલુકાના ગડત અને આસપાસના વિસ્તારમાં એક સંવેદનશીલ અને સેવાભાવી તબીબ તરીકે જાણીતા છે. ટ્રસ્ટી સંદીપ દેસાઈએ તેમનો પરિચય આપ્યો હતો, જ્યારે મંત્રી રવિન દેસાઈએ સન્માન પત્રનું વાચન કર્યું હતું.

મહાનુભાવોના સંદેશ અને પ્રતિભાવ

​આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.લોચન શાસ્ત્રી અને નિવૃત્ત આચાર્ય દીપકભાઈ નાયક તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

રાકેશભાઈ દેસાઈ (ધારાસભ્ય): “મેડિકલ ક્ષેત્રમાં આજે યોગ્ય સલાહ આપનાર ડૉક્ટરોની જરૂર છે. ગિરીશભાઈ પ્રત્યે વિવિધ સમાજનો જે પ્રેમ છે તે જ તેમની સાચી મૂડી છે.”

હાર્દિક નાયક (મંત્રી): “સમાજને આજે સંપત્તિ કરતા સંવેદનશીલ સેવકોની વધુ જરૂર છે અને આવા સેવકોનું સન્માન કરવામાં વિલંબ ન થવો જોઈએ.”

​પોતાના પ્રતિભાવમાં ડો. ગિરીશચંદ્ર નાયકે વર્ષોના પ્રેક્ટિસના અનુભવો અને વર્તમાન કોર્પોરેટ હોસ્પિટલ કલ્ચર વિશે રસપ્રદ છણાવટ કરી હતી. તેમના સહ-અધ્યાયી ડો. અશ્વિન વશીએ પણ ડો. નાયકના જીવનના વિવિધ તબક્કાઓની સ્મૃતિઓ તાજી કરી હતી.

પુરસ્કારનો ઇતિહાસ:

​શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ પુરસ્કાર આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં આ સન્માન મેળવનાર મહાનુભાવો:

​યોગેશભાઈ નાયક (માનદ મંત્રી, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ)

​પ્રા. જશુભાઈ નાયક (શુકલેશ્વર ટ્રસ્ટ, અનાવલ)

​રમણભાઈ નાયક (વસંત ભૂમિ ટ્રસ્ટ, કસ્બાપાર)

​કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ટ્રસ્ટી કેયુરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી અને ગણદેવી પંથકમાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *