ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર
- Local News
- February 26, 2026
- No Comment
વલસાડ-ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો હતો. સામાન્ય નાગરિકોને પડતી સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે જાણીતા સાંસદે વ્યક્તિગત રીતે લોકોના પ્રશ્નો સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ લોકદરબારમાં ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કરી હતી. સાંસદે દરેક અરજદાર સાથે સીધી વાતચીત કરી અને પ્રશ્નોના ઝડપભેર નિકાલ માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સાંસદની કાર્યશૈલીથી ઉપસ્થિત નાગરિકોમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. લોકદરબારમાં તાલુકા તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેથી સ્થળ પર જ અનેક પ્રશ્નોનું નિરાકરણ શક્ય બન્યું.
અંતમાં સાંસદે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માઇક્રો પ્લાનિંગ શરૂ કરવાની અને તાલુકા-જિલ્લા પંચાયતની દરેક બેઠક જીતવા માટે કાર્યકરોને સક્રિય થવા આહવાન કર્યું હતું.

