નવસારી જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના કામદારોને જોગ ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે 

નવસારી જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના કામદારોને જોગ ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે 

ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે.

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા:

ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે. જાગૃતિના અભાવે ઘણા કામદારો યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. ઇ-શ્રમ કાર્ડના ફાયદાઓ વિશે થોડુ જાણીએ.

જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો,શાકભાજી અને ફળ વિક્રેતાઓ, સ્થળાંતર કામદારો,શેરક્રોપર્સ ઈંટ ભઠ્ઠાના કામદારો, માછીમાર સો-મિલના કામદારો, પશુપાલન કામદારો, બીડલ રોલિંગ, લેબલીંગ અને પેકિંગ, સુથાર રેશમ ખેતી કામદારો, મીઠું કામદારો, ટેનરી કામદારો,મકાન અને બાંધકામ કામદારો, લેધરવર્કર્સ, દાયણો, ઘરેલું કામદારો, વાળંદ,અખબાર વિક્રેતાઓ, રિક્ષાચાલકો, ઓટો ડ્રાઈવરો, રેશમ ખેતી કામદારો, હાઉસ મેઇડ્સ, સ્ટ્રીટ વેન્ડર્સ, આશા વર્કર અરજી કરી શકે છે.

ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ. આવકવેરો ભરનાર ન હોવો જોઈએ. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ. જેમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂા. ૨ લાખ ની સહાય, આંશિક અપંગતતા ના કિસ્સામાં એક વર્ષ માટે રૂા. ૧ લાખ ની સહાય મળી શકે છે.

ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે. તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઇ-ગ્રામ સેન્ટર જઇને નોંધણી કરાવી શકાશે તેમ મદદનીશ શ્રમ અધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *