છુકછુક કરતી ગાડી આવી ને બીલીમોરા વઘઈ ચાલી:બાપુની ટ્રેનમાં હવે એસી કોચ માણો હવે ખોબલે ખોબલે મોજ

છુકછુક કરતી ગાડી આવી ને બીલીમોરા વઘઈ ચાલી:બાપુની ટ્રેનમાં હવે એસી કોચ માણો હવે ખોબલે ખોબલે મોજ

ગુજરાતના નવસારી જિલ્લાના એક નાના શહેર બિલિમોરાથી ઉપડીને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વઘઈ સુધી જનારી બિલિમોરા વઘઈ નેરોગેજ ટ્રેનની શરુઆત ગુજરાતના ગાયકવાડ રાજાઓએ કરી હતી. હવે તે પશ્ચિમી હેરિટેજ ટ્રેન રેલવેનો ભાગ છે. ગુજરાતના નવસારી જિલ્લાના એક નાના શહેર બિલિમોરાથી ઉપડીને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વઘઈ સુધી જનારી બિલિમોરા વઘઈ નેરોગેજ ટ્રેન 110 વર્ષની થઈ ગઈ છે. આ ટ્રેનની શરુઆત ગુજરાતના ગાયકવાડ રાજાએ કરી હતી. હવે તે પશ્ચિમી રેલવેનો ભાગ છે. તો આ ટ્રેનનો ટ્રેક 63 કિલોમીટર લાંબો છે. જેની શરુઆત 1913 બ્રિટિશ શાસનના સહયોગથી રાજા સયાજીરાવ ગાયકવાડએ કરી હતી.

આ સમયે આ ટ્રેન ગાયકવાડોના વડોદરા સ્ટેટ રેલવેના અંતર્ગત આવતી હતી. વડોદરાના શાસકોના નિયંત્રણમાં હતી.આ ટ્રેનને શરુ કરવાનો મુખ્ય ઉદેશ્ય રાજ્યને શેષ ભારત સાથે જોડવાનો હતો. 4 ડબ્બા આ સાથે જ આ ટ્રેન રાજ્યમાં મોટાભાગે મળતા સાગના લાકડાને વહન કરવા માટે કામ કરતી હતી.

આઝાદી બાદ આ ટ્રેનને પશ્વિમ રેલવેમાં મર્જ કરી દેવાઈ હતી. જોકે, આ એક માત્ર ટ્રેન ઉપરાંત દરેક મીટર ગેજ અને નેરો ગેજને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવામા આવ્યા છે.આ ટ્રેનમાં પાંચ કોચ છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે. આ ટ્રેનથી પોતાની યાત્રા પુરી કરવા માટે 3 કલાક 5 મિનિટનો સમય લાગે છે.

બિલિમોરા-વઘઈ ટ્રેન ડીઝલ એન્જીન આવ્યા પહેલા સ્ટીમ એન્જીન ઉપર ચાલતી હતી. 1937માં આ ટ્રેનમાં ડીઝલ એન્જીન લગાવવામાં આવ્યું હતું. 1954માં આમાંથી સ્ટીમ એન્જીનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશનમાં રેલવે હેરિટેજના રૂપમાં રાખવામાં આવ્યું હતું.

ટ્રેન પોતાની યાત્રા દરમિયાન 10 સ્ટેશનોમાંથી પસાર થાય છે. જેમાં ગાંદ્વી, ચિખલી રોડ, રૈંકવા, ઢોલિકુઆ, અનવલ, ઉનાઈ, વાંસા રોડ, કેવડી રોડ, કાલા અંબા અને ડુંગ્ડા વિગેરે સ્થળોએ થઈ વઘઈ પહોંચ છે.

મજેદાર વાત એ છે કે આ ટ્રેન અનેક ક્રોસિંગ ઉપરથી પસાર થાય છે પરંતુ કોઈ ગેટ મેન નથી. ટ્રેન દરેક ક્રોસિંગ ઉપર રોકાય છે અને જેમાં સવાર એક રેલવે કર્મચારી દરેક ક્રોસિંગ ઉપર ઉતરીને ટ્રાફિકને હટાવીને ગેટ બંધ કરે છે અને ટ્રેન ગેટ પાર કર્યા બાદ ગેટ ખોલે છે અને ફરીથી ટ્રેનમાં બેશીને આગળ વધી જાય છે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ટ્રેનમાં બે વખત પોતાના નિર્ધારિત સમય ઉપર રવાના થાયે છે. પોતાના ગંતવ્ય ઉપર પહોંવાનો સમય નિશ્ચિત નથી હોતો. આવું એટલા માટે હોય છે કારણ કે આ ટ્રેનમાં ટિકિટ વેચ્યા બાદ ટ્રેનને આગળ વધારવામાં આવે છે.

સયાજીરાવ ગાયકવાડના શાસનમાં અંદાજે 110 વર્ષ પહેલા શરૂ થયેલી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન જાગી લાકડા લાવવા માટે શરૂ થઈ હતી ત્યારબાદ કોરોના કાળમાં અંદાજે બે વર્ષ બંધ થવા પછી જાગૃત લોક પ્રતિનિધિઓ ની બુલંદ માંગણી સાથે રેલવે તંત્ર એ પણ આ ઐતિહાસિક ટ્રેન જરૂરી છે અને હવે પ્રવાસીઓ પણ મોજ માણી શકે એ માટે એસી કોચ લગાવવામાં આવ્યા છે કુદરતી સૌંદર્યથી ભરપૂર નવસારી જિલ્લા થી ડાંગ જિલ્લાના પ્રવાસ હૈયામાં આનંદ છલોછલ કરે એવો છે.

આ હેરિટેજ ટ્રેન થકી ડાંગ જિલ્લા સહિત આજુબાજુના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ટ્રેન નો ઉપયોગ કરી નાના વેપારીઓ ધ્વારા જરૂરી ચીજવસ્તુઓ લઈ ગામના તથા નાના શહેર વેચાણ કરી આર્થિક ઉપાજન પણ કરી રહ્યા છે.

 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *