વાંસદાના રવાણિયા ગામે અન્‍ય સ્ત્રી સાથે સંબંધ કારણે પરિવાર વિખેરાયો: બે બાળકી હત્યા કરી દંપતીએ પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા એક સાથે પરિવારમાં ચાર ના મોત પગલે ગામ સન્નાટો છવાયો

વાંસદાના રવાણિયા ગામે અન્‍ય સ્ત્રી સાથે સંબંધ કારણે પરિવાર વિખેરાયો: બે બાળકી હત્યા કરી દંપતીએ પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા એક સાથે પરિવારમાં ચાર ના મોત પગલે ગામ સન્નાટો છવાયો

નવસારી જિલ્લાના કાળજુ કંપાવી એક દેતી ઘટના સામેઆવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે દંપતીએ બે બાળકીઓની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે.આ હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામ તથા આજુબાજુના પંથકમાં સન્નાટો છવાઇ ગયો છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતો 39 વર્ષીય ચુંનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ અગાઉ તનુજાબેન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવનમાં દંપતીને બે બાળકી હતી. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો. તેની સાથે કામકરતી આહવા ડાંગ જિલ્લાની યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો.

ચુંનીલાલના લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધ વાત પત્નીને ખબર પડતા આ વાતના પગલે માઠઠું લાગી આવ્યું  હતું. ચુનીલાલને સાથે કામ કરતી સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું. થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું. જ્યાંથી પરત આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા.

જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાનકર્યો હતો અને ત્યારબાદ મોડી રાતે તેઓ પાછા ફર્યા હતા.ચુનીલાલના પ્રેમસબંધના કારણે ચુનીલાલ તથા તેની પત્ની તનુજાએ તેમની પોતાની બન્ને દીકરીઓ જેમા મોટી દીકરી કસીસ (ઉ.વ.7) તથા તેનાથી નાની દિકરી ધિત્યા (ઉ.વ-આશરે 4 માસ)ને ગળે ટુંપો દઈ મારી નાંખી મોત નિપજાવી દંપતી પોતપોતાની મેળે નાયલોન દોરડાથી ઘરની પજારીના ભાગે લાકડાનાડાંડા ઉપર દોરડુ બાંધી બંન્ને જણાએ ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.

વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરતા તમામના મૃતદેહ જોવા મળ્યા હતા. આ બાબતેચુનીલાલના પિતા જતરભાઈ માધુભાઈ ગાંવીતે વાંસદા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતાં પોલીસે બે ગુના નોંધ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો નોધ્યો છે. આ મામલે વાંસદા પોલીસે બે ફરિયાદી નોંધીને વધુ તપાસહાથ ધરી છે.

 

 

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *