બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારીના ઉપક્રમે જાણીતા વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસનું પ્રવચન મતિયા પાટીદાર વાડી ખાતે અનાવિલ સમાજ પ્રમુખ મુકેશ નાયક ની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ અને મંત્રી પ્રશાંત દેસાઈ તથા વરિષ્ઠ ટ્રસ્ટી દેવુભાઈ મહેતા રણજીતભાઈ નાયક છાપરાકર નટુભાઈ નાયક જલાલપુર વગેરેની ઉપસ્થિતિમાં ડોક્ટર જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનમાળામાં પરંપરાઓની આરપાર નવી પેઢી વિષય છે ત્યારે સદગત વડાપ્રધાન મોરારજી દેસાઈની વંદના કરું છું.

તેમણે યુવા પેઢીને આહવાન કર્યું હતું કે જગતને જાણવા અને માણવા પ્રશ્નો કરવા જોઈએ માતા પિતાએ પોતાના અધુરા સ્વપ્ના બાળકોમાં થી બળજબરીથી રોપવા ન જોઈએ આપણે કુપ મુંડક ન બનવું જોઈએ અનેક આક્રમણો છતાં હિન્દુ સંસ્કૃતિ અજર અમર રહી છે સિદ્ધાંતનો શિંગડું ન વાગે એટલું અકારપણું રાખવું જરૂરી નથી જળતા છોડીને તરલતા રાખવી જોઈએ જીવનમાં કોઈપણ તક છેલ્લી હોતી નથી અતિવ વિશ્વાસ અને અતિમાન ન રાખવા જોઈએ.

માણસ ધમકીઓ ઉચ્ચારે ત્યારે તેના પાયામાં ખામી છે એમ સમજવું જ્ઞાનથી મોટી કોઈ જાગીર નથી.દેવુભાઈ મહેતા અજયભાઈ દેસાઈ, ગૌતમ મહેતા,વિનોદભાઈ દેસાઈ કૌશિક દેસાઈ વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *