નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી

નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી

માનવીય જીવન પાણી એ ખૂબ મહત્ત્વનું ભાગ ભજવે છે. ત્યારે નવસારીવિજલપોર નગરપાલિકા ધ્વારા નવસારી શહેર માં પાણી વહેંચણી ના પ્રશ્ને વિવાદ સર્જાયો હતો.શહેર ના વોર્ડ નંબર 13 માં નંખાયેલી પાણી ની લાઈન માંથી વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં જોડાણ આપી દેવાતા વિવાદ થયો હતો.

જેને લઈ બંને વોર્ડના રહીશો સહિત નગરસેવકો આમને સામને આવી ગયા હતા.અને રાજકીય દાવપેચ વચ્ચે પાણી વહેંચણી મુદ્દે લોકોની રજુઆત અટવાઈ હતી.વોર્ડ નંબર 6 ના રહીશો અને નગરસેવકો એ પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો હતો.અને હલ્લબોલ પણ કર્યો હતો.

આખરે નવસારી વિજલપોર પાલિકા પ્રમુખે વોર્ડ 6ના રહીશો ની રજુઆત સાંભળી હતી.અને બંને વોર્ડ ના નગરસેવકો સાથે ચર્ચા કરી સમસ્યા નું સુખદ સમાધાન લાવવાનું લોકોને આશ્વાસન આપ્યું હતું.

પાણી વહેંચણી મુદ્દે વોટર વર્કસના ચેરમેન પ્રશાંત દેસાઈના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 6 માં પાણીની લાઈન નાખવા માટે વોર્ડ નંબર 13 ના રહીશોને તકલીફ ઊભી થતા તેમને નવી લાઈન માંથી પાણી આપવામાં આવ્યુંહતું ત્યારે આ મામલે અમે બંને વોર્ડના લોકો અને નગર સેવકોના પ્રશ્નોનું સુખદ સમાધાન આવી જાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમજ તે અંગે વોટરવર્કસ ના અધિકારી તથા કર્મચારીઓ આ મુદ્દે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.

 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *