નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી

નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી

માનવીય જીવન પાણી એ ખૂબ મહત્ત્વનું ભાગ ભજવે છે. ત્યારે નવસારીવિજલપોર નગરપાલિકા ધ્વારા નવસારી શહેર માં પાણી વહેંચણી ના પ્રશ્ને વિવાદ સર્જાયો હતો.શહેર ના વોર્ડ નંબર 13 માં નંખાયેલી પાણી ની લાઈન માંથી વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં જોડાણ આપી દેવાતા વિવાદ થયો હતો.

જેને લઈ બંને વોર્ડના રહીશો સહિત નગરસેવકો આમને સામને આવી ગયા હતા.અને રાજકીય દાવપેચ વચ્ચે પાણી વહેંચણી મુદ્દે લોકોની રજુઆત અટવાઈ હતી.વોર્ડ નંબર 6 ના રહીશો અને નગરસેવકો એ પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો હતો.અને હલ્લબોલ પણ કર્યો હતો.

આખરે નવસારી વિજલપોર પાલિકા પ્રમુખે વોર્ડ 6ના રહીશો ની રજુઆત સાંભળી હતી.અને બંને વોર્ડ ના નગરસેવકો સાથે ચર્ચા કરી સમસ્યા નું સુખદ સમાધાન લાવવાનું લોકોને આશ્વાસન આપ્યું હતું.

પાણી વહેંચણી મુદ્દે વોટર વર્કસના ચેરમેન પ્રશાંત દેસાઈના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 6 માં પાણીની લાઈન નાખવા માટે વોર્ડ નંબર 13 ના રહીશોને તકલીફ ઊભી થતા તેમને નવી લાઈન માંથી પાણી આપવામાં આવ્યુંહતું ત્યારે આ મામલે અમે બંને વોર્ડના લોકો અને નગર સેવકોના પ્રશ્નોનું સુખદ સમાધાન આવી જાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમજ તે અંગે વોટરવર્કસ ના અધિકારી તથા કર્મચારીઓ આ મુદ્દે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *