નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી

નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી

માનવીય જીવન પાણી એ ખૂબ મહત્ત્વનું ભાગ ભજવે છે. ત્યારે નવસારીવિજલપોર નગરપાલિકા ધ્વારા નવસારી શહેર માં પાણી વહેંચણી ના પ્રશ્ને વિવાદ સર્જાયો હતો.શહેર ના વોર્ડ નંબર 13 માં નંખાયેલી પાણી ની લાઈન માંથી વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં જોડાણ આપી દેવાતા વિવાદ થયો હતો.

જેને લઈ બંને વોર્ડના રહીશો સહિત નગરસેવકો આમને સામને આવી ગયા હતા.અને રાજકીય દાવપેચ વચ્ચે પાણી વહેંચણી મુદ્દે લોકોની રજુઆત અટવાઈ હતી.વોર્ડ નંબર 6 ના રહીશો અને નગરસેવકો એ પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો હતો.અને હલ્લબોલ પણ કર્યો હતો.

આખરે નવસારી વિજલપોર પાલિકા પ્રમુખે વોર્ડ 6ના રહીશો ની રજુઆત સાંભળી હતી.અને બંને વોર્ડ ના નગરસેવકો સાથે ચર્ચા કરી સમસ્યા નું સુખદ સમાધાન લાવવાનું લોકોને આશ્વાસન આપ્યું હતું.

પાણી વહેંચણી મુદ્દે વોટર વર્કસના ચેરમેન પ્રશાંત દેસાઈના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 6 માં પાણીની લાઈન નાખવા માટે વોર્ડ નંબર 13 ના રહીશોને તકલીફ ઊભી થતા તેમને નવી લાઈન માંથી પાણી આપવામાં આવ્યુંહતું ત્યારે આ મામલે અમે બંને વોર્ડના લોકો અને નગર સેવકોના પ્રશ્નોનું સુખદ સમાધાન આવી જાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમજ તે અંગે વોટરવર્કસ ના અધિકારી તથા કર્મચારીઓ આ મુદ્દે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *