હોળી બાદ નવસારી જિલ્લામાં ઉનાળાના આગમન શરૂઆત થઈ ગઈ 

હોળી બાદ નવસારી જિલ્લામાં ઉનાળાના આગમન શરૂઆત થઈ ગઈ 

હોળી બાદ નવસારી જિલ્લામાં ઉનાળાના આગમન શરૂઆત થઈ ગઈ છે. તેમ આજરોજ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. બપોરનાસમયે આકરા તાપ તેમજ બફારાના કારણે લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમવિભાગમાંથી મળતી માહિતી મુજબ શનિવારે મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું.સવારે ભેજનું પ્રમાણ 51 ટકા જ નોંધાયું હતું. બપોરે તેમાં ઘટાડો થતા માત્ર 25 ટકા જ નોંધાયું હતું.પવનની ગતિ છેલ્લા બે દિવસથી બદલાઈ જતા આજરોજ પ્રતિ કલાક 5.8 કિમીની ઝડપે ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાયો હતો.

ઉનાળાની શરૂઆતમાં જ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી હોય આવનાર 3 માસમાં મહત્તમ ગરમીમાં વધારો થશે. તેમ વાતવરણવિદોએ જણાવ્યું હતું. નવસારીજિલ્લામાં હોળીના પર્વ બાદ ઉનાળાની શરૂઆત થતી હોય છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં વધારો થતાં બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે.આવતીકાલથી વાતાવરણમાં બદલાવથશે તેવી માહિતી મોસમ વિભાગે આપી છે.

આજરોજ 37.5ડિગ્રી ઉનાળાની શરૂઆતમાં મહત્તમ તાપમાન નોંધાતું હોય ત્યારે આગામી દિવસમાં ગરમીમાં વધારોથશે એ નક્કી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીજિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં થઇ રહેલા વધઘટને લઇને લોકો અકળાઇ ઉઠ્યા છે. તેમજ હવામાન વિભાગ ધ્વારા દક્ષિણ ગુજરાત માં આવતીકાલ થી 17 તારીખ સુધી માવઠા આગાહી કરવામાં આવી છે.

આજ સવારથી નવસારીના વાતાવરણ આગાહીના પગલે વાતાવરણ અચાનક ફેરફાર હોવા છતાંય લોકોને બફારા અહેસાસ થયો હતો.તેમાંય હાલના તબક્કે કાળઝાળ ગરમીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આગામી સમયમાં આગરમીનો પારો વધવાની પૂરી સંભાવના છે ત્યારે હવેલોકો ગરમીથી રાહત મેળવવા માટેના ઉપાયો શોધી રહ્યા છે.

છેલ્લા નવ દિવસના મહત્તમ તાપમાનના આંકડા આ મુજબ છે.

5 માર્ચના રોજ 38.2 ડિગ્રી, 6માર્ચના રોજ 35 ડિગ્રી, 7માર્ચના રોજ 35.1 ડિગ્રી,8 માર્ચના રોજ 35.1 ડિગ્રી,9 માર્ચના રોજ 36.7ડિગ્રી, 10 માર્ચના રોજ 35.5 ડિગ્રી અને 11 માર્ચના રોજ 38 ડિગ્રી, 12 માર્ચ ના રોજ 38.5 ડિગ્રી આજે 13 માર્ચ ના રોજ 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

છેલ્લા બે દિવસ બાદ આજરોજ 1 ડિગ્રીનો ધટાડોમાં નોંધાવા પામ્યો છે.નવસારીના લોકોને આશિંક રાહત અનુભવ્યો હતો.

 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *