IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વિશ્વ બેન્કના વડા બનશે

IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વિશ્વ બેન્કના વડા બનશે

  • Finance
  • March 15, 2023
  • No Comment

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને અબજો ડોલરની લેવડ-દેવડ કરતી સંસ્થાના વડા તરીકે નોમિનેટ કર્યા

આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી મૂળ ભારતીય અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કેવિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. બાંગાને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે પદ્મ વિજેતા બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાંગાનો જન્મ પૂણેમાં થયો હતો. તેમના પિતા હરભજન સિંઘ ભારતીય સેનામાં લેફ્ટેન્ટ- જનરલના હોદા પરથી નિવૃત્ત થયા હતા. તેઓ આ મહિને નિવૃત્ત થનારડેવિડ મેલપાસના અનુગામી બનશે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેલપાસને નોમિનેટ કર્યા હતા. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળથી,એક વર્ષ અગાઉ જ હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી.

એક પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે. બાઈડને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઇતિહાસની આ મહત્વના ક્ષણે વર્લ્ડ બેન્કને લીડ કરવા માટે અજય એકદમ સજ્જ છે. તેઓ વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણ લાવવા અને

રોજગારી ઊભી કરતી સફળ વૈશ્વિક કંપનીઓને ઊભી કરવા અને સંચાલન કરવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ સમયાંતરે મૂળભૂત સુધારા થકી સંસ્થાઓને માર્ગદર્શન

આપવામાં મહારત ધરાવે છે. તેઓ લોકો અને સિસ્ટમ્સને મેનેજ કરવાનોતેમજ વિશ્વભરના નેતાઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જેના પરિણામો પણ મળ્યા છે.’ 63 વર્ષીય બાંગાએ હૈદરાબાદમાં સ્કૂલનું શિક્ષણ લીધું હતું અને દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આઇઆઇએમ- અમદાવાદમાંથી મેનેજમેન્ટ ડિગ્રી મેળવનાર બાંગાએ નેસ્લેથી પ્રોફેશનલ કેરીયરની શરૂઆત કરી હતી.

પેપ્સિકો અને સિટીમાં પણ તેમણે મહત્વની જવાબદારી સ્વીકારી હતી. માસ્ટરકાર્ડના સીઇઓ પણ રહી ચૂક્યા હતા. હાલમાં તેઓ જનરલ એલાન્ટિકના વાઇસ ચેરમેન છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *