અરુણાચલ પ્રદેશમાં આર્મી ચિતા હેલિકોપ્ટર ક્રેશ: પાયલોટ ગુમ

હેલિકોપ્ટર ક્રેશઃ અરુણાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના થઈ છે. ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર રાજ્યના મંડલા પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. દુર્ઘટના બાદ લાપતા પાયલોટની શોધ કરવામાં આવી રહી છે.

દુર્ઘટના અંગે, ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશન સૉર્ટી ઉડાન ભરી રહેલા ચિતા હેલિકોપ્ટરનો ગુરુવારે સવારે 09:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાની જાણ થઈ હતી. તેમણે કહ્યું છે કે બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

 

 

પ્રતિકાત્મક ફોટો                                                   જણાવી દઈએ કે માર્ચ 2022માં જમ્મુ-કાશ્મીરમાં પણ ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાઈલટમાંથી એકનું મોત થયું હતું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દુર્ઘટના માટે ખરાબ હવામાન જવાબદાર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે નિયંત્રણ ગુમાવ્યું.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *