અરુણાચલ પ્રદેશમાં આર્મી ચિતા હેલિકોપ્ટર ક્રેશ: પાયલોટ ગુમ

હેલિકોપ્ટર ક્રેશઃ અરુણાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના થઈ છે. ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર રાજ્યના મંડલા પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. દુર્ઘટના બાદ લાપતા પાયલોટની શોધ કરવામાં આવી રહી છે.

દુર્ઘટના અંગે, ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશન સૉર્ટી ઉડાન ભરી રહેલા ચિતા હેલિકોપ્ટરનો ગુરુવારે સવારે 09:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાની જાણ થઈ હતી. તેમણે કહ્યું છે કે બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

 

 

પ્રતિકાત્મક ફોટો                                                   જણાવી દઈએ કે માર્ચ 2022માં જમ્મુ-કાશ્મીરમાં પણ ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાઈલટમાંથી એકનું મોત થયું હતું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દુર્ઘટના માટે ખરાબ હવામાન જવાબદાર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે નિયંત્રણ ગુમાવ્યું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *