વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા નવસારીમાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી અપાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા નવસારીમાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી અપાઈ

PM – MITRA યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના અગ્રણી જિલ્લા નવસારીમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની મંજૂરી અપાઈ.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે. ક્ષેત્રના વિકાસ માટે એકજ સ્થળે કાપડના દોરાથી લઈ કાપડ બનાવવાની કામગીરી થાય અને સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઉત્પાદકોને બજાર અને સપોર્ટ એકજ સ્થળે ઉપલબ્ધ રહે તે માટે નવસારી(Navsari)માં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીએ પિયુષભાઈ ગોયલ ધ્વારા મંજૂરી આપવામાં આવી છે .

આ પાર્કનાં નિર્માણથી નવસારીનો વિકાસ ફરી રોકેટગતિએ આગળ વધશે. વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સટાઇલ ક્ષેત્રનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. નવસારી અને એની આજુબાજુનાં જીલ્લાનાં નાગરિકો માટે રોજગારી અને બિઝનેસની વિપુલ તકો સર્જાશે. નવસારીનાં ડેવલપમેન્ટમાં આ પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે. ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન-આ માનનીય પ્રધાનમંત્રીનું વિઝન હતું, આ પાર્કની મદદથી આ વિઝન સાકાર થશે. વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સટાઇલ ક્ષેત્રનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

નવસારીમાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી આપવા બદલ નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

તારીખ 10 મે 2022 કાપડ મંત્રાલય દિલ્લી ની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા કરવામાં આવી અને સંબંધિતો સાથે ચર્ચા વેળાની તસ્વીર (ફાઇલ ફોટો)

નવસારી જિલ્લામાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી બાબતે નવસારીના સાંસદ સી.આર.પાટીલ ટ્વીટ થી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ટ્વીટ ધ્વારા માહિતી આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ આભાર પણ માન્યો હતો.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *