જલાલપોર તાલુકાના આટ ગામે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો 

જલાલપોર તાલુકાના આટ ગામે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનો આટ ગામના રામજી મંદિર ખાતે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ ખેડુતો/પશુપાલકોને કીટ વિતરણ કાર્યક્રમ જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે જરૂરી પોષક તત્વો-સંસાધનોની સામગ્રી જાતે જ બનાવી શકાય છે. આ પ્રકારના જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જીવ, જમીન અને પર્યાવરણના જતનની સાથે જળ અને જમીનક્ષેત્રે બદલાવ માનવસમાજ માટે આશિર્વાદરૂપ બનશે. જમીનના પોષકતત્વોમાં વધારો થવાના કારણે ખેતીમાં પોષણક્ષમ ઉત્પાદન થવાની સાથે ફળદ્રુપતામાં વધારો થશે. તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખાસ અનુરોધ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા ખેડુતો અને પશુપાલકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ખેડૂતોને ખેતીવાડીની યોજનામાં તાડપત્રી સહાયનાં ૧૩૧ લાભાર્થીઓ, બાગાયતનાં ૧૨૫ લાભાર્થીઓને કેરેટ અને પશુપાલનનાં ૧૦૪ લાભાર્થીઓને મિનરલ મિક્ષચર પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં જીલ્લા પંચાયત નવસારીના ખેત ઉત્પાદન, સહકાર, સિંચાઇ અને પશુપાલન સમિતિ અધ્યક્ષ પરીમલભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો શંકરભાઇ રાઠોડ, અનિતાબેન હળપતિ તથા તાલુકા પંચાયત સદસ્યો પ્રમોદભાઈ, તૃપ્તિબેન, પશુપાલન વિષય નિષ્ણાંતો ડૉ.ડી.બી.ઠાકોર, ડો. વી.વી. ઓઝા અને ડો. હર્ષિલ ઠાકોર, પશુપાલન નિયામકશ્રી ડો એમ.સી.પટેલ અને ખેતીવાડી શાખાના વડા ડો. અતુલ ગજેરા સહિત તાલુકાનાં ખેતી અને પશુપાલનનાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *