જલાલપોર તાલુકાના આટ ગામે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો 

જલાલપોર તાલુકાના આટ ગામે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનો આટ ગામના રામજી મંદિર ખાતે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ ખેડુતો/પશુપાલકોને કીટ વિતરણ કાર્યક્રમ જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે જરૂરી પોષક તત્વો-સંસાધનોની સામગ્રી જાતે જ બનાવી શકાય છે. આ પ્રકારના જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જીવ, જમીન અને પર્યાવરણના જતનની સાથે જળ અને જમીનક્ષેત્રે બદલાવ માનવસમાજ માટે આશિર્વાદરૂપ બનશે. જમીનના પોષકતત્વોમાં વધારો થવાના કારણે ખેતીમાં પોષણક્ષમ ઉત્પાદન થવાની સાથે ફળદ્રુપતામાં વધારો થશે. તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખાસ અનુરોધ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા ખેડુતો અને પશુપાલકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ખેડૂતોને ખેતીવાડીની યોજનામાં તાડપત્રી સહાયનાં ૧૩૧ લાભાર્થીઓ, બાગાયતનાં ૧૨૫ લાભાર્થીઓને કેરેટ અને પશુપાલનનાં ૧૦૪ લાભાર્થીઓને મિનરલ મિક્ષચર પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં જીલ્લા પંચાયત નવસારીના ખેત ઉત્પાદન, સહકાર, સિંચાઇ અને પશુપાલન સમિતિ અધ્યક્ષ પરીમલભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો શંકરભાઇ રાઠોડ, અનિતાબેન હળપતિ તથા તાલુકા પંચાયત સદસ્યો પ્રમોદભાઈ, તૃપ્તિબેન, પશુપાલન વિષય નિષ્ણાંતો ડૉ.ડી.બી.ઠાકોર, ડો. વી.વી. ઓઝા અને ડો. હર્ષિલ ઠાકોર, પશુપાલન નિયામકશ્રી ડો એમ.સી.પટેલ અને ખેતીવાડી શાખાના વડા ડો. અતુલ ગજેરા સહિત તાલુકાનાં ખેતી અને પશુપાલનનાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *