કછોલી ગામે ભિક્ષા માંગવા જતી વેળાએ ગાડી રોકી શાકભાજી માર્કેટમાંથી કારેલા ખરીદી ગામ લોકોમાં વહેંચી કાલે ભાજી બનાવી લાવજો હું જમીશ

કછોલી ગામે ભિક્ષા માંગવા જતી વેળાએ ગાડી રોકી શાકભાજી માર્કેટમાંથી કારેલા ખરીદી ગામ લોકોમાં વહેંચી કાલે ભાજી બનાવી લાવજો હું જમીશ

નવસારી શહેરમાં ચૈત્ર માસના પાવન પર્વ નિમિત્તે મોરારીબાપુની કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી રામકથાનું આયોજન થયું છે. જેમાં ગુજરાત રાજય સહિત અન્ય રાજ્યમાંથી તેમજ વિદેશોમાં વસવાટ કરતા મોરારીબાપુના ભક્તો દૂર દૂરથી રામભક્તો ઉત્સુકતા સાથે કથા સાંભળવા માટે આવી રહ્યા છે. કથાસ્થળ લુન્સીકુઈ થી થોડા અંતરે આવેલા કછોલ ગામમાં બાપુનું કુટીર બનાવવામાં આવી છે.

ગઈકાલે સાંજે કછોલી ગામે ગાંધીઘર ખાતે દિવ્યાંગ બાળકોને મળવા ગયા હતા. ત્યારબાદ બાપુએ ગામમાં ભિક્ષા માંગવા જવા દરમિયાન ગામની શાકમાર્કેટમાં ગાડી રોકી વેપારીઓ સાથે વાતચીત કરીને કારેલા ખરીદ્યા હતા.

વેપારીએ ભાવવિભોર થઈ પૈસા લેવાની ના પાડી બાપુએ પોતાની પાસેથી કારેલા ખરીદતા વેપારીભાવવિભોર થઈ ગયો હતો. તેણે બાપુને વિનંતી કરી પૈસા લેવાની ના પાડી હતી.

જોકે, બાપુએકારેલાના થતા પૈસા કરતા વધુ રૂપિયા આપી કારેલાનેગ્રામજનોમાં વહેંચતા કહ્યું હતું કે, આની ભાજી કરજો આવતીકાલે હું જમીશ.

રામકથામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.બપોરે 1:00 વાગે કથા સમાપ્ત થયા બાદ સાંજે મોટી સંખ્યામાં કછોલ ગામે બાપુના નિવાસસ્થાને તેમના દર્શન માટે લોકો જઈ રહ્યા છે.કથા સાંભળવા માટે ગાંધીનગરથી ધારાસભ્ય સહિત મંત્રી કક્ષાના નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે છે.

માનસ ગૌરી સ્તુતિ નામથી આ કથામાં આવનાર લોકો માટે પાણી તેમજ છાસ વ્યવસ્થાઓ સાથે રામજી મંદિર દુધિયા તળાવ ખાતે મહાપ્રસાદ હજારો લોકો માટે કરવામાં આવી રહ્યું છે.

મોરારીબાપુના મુખેથી ભગવાન શ્રીરામ તથા માં જંગદબા નું પણ મહિમાગાન જુદા જુદા દ્રષ્ટાંટો થકી કથા કરી રહ્યા છે.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *