કછોલી ગામે ભિક્ષા માંગવા જતી વેળાએ ગાડી રોકી શાકભાજી માર્કેટમાંથી કારેલા ખરીદી ગામ લોકોમાં વહેંચી કાલે ભાજી બનાવી લાવજો હું જમીશ

કછોલી ગામે ભિક્ષા માંગવા જતી વેળાએ ગાડી રોકી શાકભાજી માર્કેટમાંથી કારેલા ખરીદી ગામ લોકોમાં વહેંચી કાલે ભાજી બનાવી લાવજો હું જમીશ

નવસારી શહેરમાં ચૈત્ર માસના પાવન પર્વ નિમિત્તે મોરારીબાપુની કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી રામકથાનું આયોજન થયું છે. જેમાં ગુજરાત રાજય સહિત અન્ય રાજ્યમાંથી તેમજ વિદેશોમાં વસવાટ કરતા મોરારીબાપુના ભક્તો દૂર દૂરથી રામભક્તો ઉત્સુકતા સાથે કથા સાંભળવા માટે આવી રહ્યા છે. કથાસ્થળ લુન્સીકુઈ થી થોડા અંતરે આવેલા કછોલ ગામમાં બાપુનું કુટીર બનાવવામાં આવી છે.

ગઈકાલે સાંજે કછોલી ગામે ગાંધીઘર ખાતે દિવ્યાંગ બાળકોને મળવા ગયા હતા. ત્યારબાદ બાપુએ ગામમાં ભિક્ષા માંગવા જવા દરમિયાન ગામની શાકમાર્કેટમાં ગાડી રોકી વેપારીઓ સાથે વાતચીત કરીને કારેલા ખરીદ્યા હતા.

વેપારીએ ભાવવિભોર થઈ પૈસા લેવાની ના પાડી બાપુએ પોતાની પાસેથી કારેલા ખરીદતા વેપારીભાવવિભોર થઈ ગયો હતો. તેણે બાપુને વિનંતી કરી પૈસા લેવાની ના પાડી હતી.

જોકે, બાપુએકારેલાના થતા પૈસા કરતા વધુ રૂપિયા આપી કારેલાનેગ્રામજનોમાં વહેંચતા કહ્યું હતું કે, આની ભાજી કરજો આવતીકાલે હું જમીશ.

રામકથામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.બપોરે 1:00 વાગે કથા સમાપ્ત થયા બાદ સાંજે મોટી સંખ્યામાં કછોલ ગામે બાપુના નિવાસસ્થાને તેમના દર્શન માટે લોકો જઈ રહ્યા છે.કથા સાંભળવા માટે ગાંધીનગરથી ધારાસભ્ય સહિત મંત્રી કક્ષાના નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે છે.

માનસ ગૌરી સ્તુતિ નામથી આ કથામાં આવનાર લોકો માટે પાણી તેમજ છાસ વ્યવસ્થાઓ સાથે રામજી મંદિર દુધિયા તળાવ ખાતે મહાપ્રસાદ હજારો લોકો માટે કરવામાં આવી રહ્યું છે.

મોરારીબાપુના મુખેથી ભગવાન શ્રીરામ તથા માં જંગદબા નું પણ મહિમાગાન જુદા જુદા દ્રષ્ટાંટો થકી કથા કરી રહ્યા છે.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *