શ્રી રામકથાના ચોથા દિવસે પૂજ્ય મોરારીબાપુ કહે છે ભારતમાં અવશ્ય રામરાજ આવી રહ્યું છે

શ્રી રામકથાના ચોથા દિવસે પૂજ્ય મોરારીબાપુ કહે છે ભારતમાં અવશ્ય રામરાજ આવી રહ્યું છે

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત હજારો ભાવિકોને બાપુએ હાસ્ય રસ ના સાગરમાં ખડખડાટ હસાવ્યા

જય જય ગિરિવર કિશો રી જય મહેશ મુખ ચંદ્ર ચકો રી આ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને ચાલતી ચૈત્રી નવરાત્રી ચોથા દિવસે રામ કથા મંડપ 1 લાખ ચોરસ ફૂટ થી વધારીને સવા લાખ ચોરસ ફૂટનો કરવા છતાં હજારો ભાવિકોનો માનવ મહેરામણ મોરારીબાપુને સાંભળવા હરખ ઘેલો બન્યો હતો પૂજ્ય બાપુએ મા ભગવતી ની ઉપાસના સાથે શિવ શક્તિને જોડીને કથાનું રસપાન કરતા જણાવ્યું કે જીવ માત્રને મિત્ર ભાવે જોવું એ આપણો ધર્મ છે આપણે તમામને મૈત્રી દ્રષ્ટિ દૂરદ્રષ્ટિ સૂક્ષ્મ દૃષ્ટિ અને વિવેક દ્રષ્ટિથી જોવા રહ્યા તો જ આપણે સ્વ થી સર્વ સુધી અને ગુજરાતથી રાષ્ટ્ર અને વિશ્વ થી બ્રહ્માંડ સુધી કલ્યાણની ભાવના એ પહોંચી શકીશું આપણે પ્રિય કર અને શ્રેયકર બંને બનવું રહ્યું.

ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જ્યારે જ્યારે વિહાર કરતા ત્યારે ચોપાસના પરિઘમાં વ્યાસમાં વિશાળ વિસ્તારમાં આપમેળે એમની દિવ્ય હાજરીને કારણે હિંસા અટકીને અહિંસામાં પરિવર્તન પામતી આપણું દિવ્ય સ્વરૂપ સાગર નું બિંદુ છે અહિંસા પ્રતિષ્ઠિત થવાથી વેરી પણ અહિંસક બની જાય છે નિંદા કરનારા વર્ગને ઉદ્દેશીને કહ્યું હતું કે આપણે મૌન રાખવું અને વિચલિત ન થવું અપમાનમાં પણ રહીને જીવન જીવવાની કળા શીખવી નિંદા કરનાર પોતાની ખાનદાની નો પરિચય આપતો હોય છે.

આજના ચોથા દીને પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું કે આ કથામાં વિધાનસભાના ઉમદા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત છે અને એમના અધ્યક્ષ પદે ગુજરાત વિધાનસભા વિવાદ સભા નહીં પરંતુ વિવેક સભા બની રહે એવો સાધુવાદ આપું છું ખડખડા ટ હાસ્ય વચ્ચે બાપુએ જણાવ્યું કે આ રામ કથા મારા નવ દિવસના સત્રની વિધાનસભા જ છે અને એનો સ્પીકર હું છું.

પૂજ્ય મોરારીબાપુએ ફરીથી દોહરાવ્યું કે વર્ષમાં એક કથા તો આદિવાસીઓ અને વંચિતોની વચ્ચે થવી જ જોઈએ એવો આપણી પાસે આવી શકતા નથી પણ આપણે એમની પાસે જવું રહ્યું છે વાળા ના માનવી સુધી પહોંચીએ ત્યારે જ પરમાત્માનો રાજીપો રહે છે માનવીનું વ્યક્તિત્વ વક્તવ્ય વાસ્તવિક સત્ય હકીકત અને જરૂરી જ બોલવું અને વિનોદવૃત્તિથી બોલવું એ સમગ્ર થયા આકર્ષક વ્યક્તિત્વ નું પ્રતિબિંબ છે

તમે શ્રોતાજનો તો હાથ પગ લંબાવી શકો પાણી પી શકો લઘુ શંકાએ જઈ શકો પરંતુ મારે તો પલાઠી વાળી સીસ્ટ તો બધા બેસવા સાથે એક એક શબ્દ સમજી વિચારી સાવધાનીપૂર્વક આ વ્યાસ પર પીઠ પરથી બોલવો પડે હું ઉપર બેઠેલો છું એટલે ચોપાટ ચોકી વ્યાસપીઠ પર છું એટલે ચોકીદાર છું પણ આપ સૌ તો જમીન પર બેઠેલા જમીનદાર છો

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *