ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવનાર આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈની બે વર્ષ પૂર્વે ડાંગ દક્ષિણ વન વિભાગ આહવાનાં વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં બદલી થઈ હતી.નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈ આજરોજ ઘરેથી ઓફીસ જઈ રહ્યા હતા તે દરમ્યાન તેઓનું હાર્ટ એટકથી મોત નિપજતા ડાંગ વન વિભાગને એક યુવાન અને બાહોશ અધિકારીની ખોટ લાગી છે.

ડાંગ દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં આર.એફ.ઓ તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવનાર સુનિલભાઈ દેસાઈ નવસારી(ચીખલી)નાં વતની હતા.આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટકનાં પગલે નિધન થવાનાં સમાચાર ડાંગ જિલ્લાનાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને થતા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના,ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી,એ.સી.એફ.આરતી ડામોર,નિલેશભાઈ પંડ્યા સહિત અન્ય રેંજનાં કર્મચારીઓનો કાફલો નવતાડનાં વાંસદા નેશનલ પાર્ક ખાતે દોડી ગયો હતો.

હાલમાં નિધન પામેલ આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનાં પાર્થિવ દેહને પી.એમ કરાવી માદરે વતન ચીખલી લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં દરેક કર્મીઓ જોડે સહાનુભૂતિ પૂર્વક વર્તન રાખનાર બાહોશ આર.એફ.ઓનું નિધન થતા ડાંગ જિલ્લાનાં વન વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *