ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવનાર આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈની બે વર્ષ પૂર્વે ડાંગ દક્ષિણ વન વિભાગ આહવાનાં વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં બદલી થઈ હતી.નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈ આજરોજ ઘરેથી ઓફીસ જઈ રહ્યા હતા તે દરમ્યાન તેઓનું હાર્ટ એટકથી મોત નિપજતા ડાંગ વન વિભાગને એક યુવાન અને બાહોશ અધિકારીની ખોટ લાગી છે.

ડાંગ દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં આર.એફ.ઓ તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવનાર સુનિલભાઈ દેસાઈ નવસારી(ચીખલી)નાં વતની હતા.આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટકનાં પગલે નિધન થવાનાં સમાચાર ડાંગ જિલ્લાનાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને થતા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના,ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી,એ.સી.એફ.આરતી ડામોર,નિલેશભાઈ પંડ્યા સહિત અન્ય રેંજનાં કર્મચારીઓનો કાફલો નવતાડનાં વાંસદા નેશનલ પાર્ક ખાતે દોડી ગયો હતો.

હાલમાં નિધન પામેલ આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનાં પાર્થિવ દેહને પી.એમ કરાવી માદરે વતન ચીખલી લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં દરેક કર્મીઓ જોડે સહાનુભૂતિ પૂર્વક વર્તન રાખનાર બાહોશ આર.એફ.ઓનું નિધન થતા ડાંગ જિલ્લાનાં વન વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *