ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવનાર આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈની બે વર્ષ પૂર્વે ડાંગ દક્ષિણ વન વિભાગ આહવાનાં વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં બદલી થઈ હતી.નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈ આજરોજ ઘરેથી ઓફીસ જઈ રહ્યા હતા તે દરમ્યાન તેઓનું હાર્ટ એટકથી મોત નિપજતા ડાંગ વન વિભાગને એક યુવાન અને બાહોશ અધિકારીની ખોટ લાગી છે.

ડાંગ દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં આર.એફ.ઓ તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવનાર સુનિલભાઈ દેસાઈ નવસારી(ચીખલી)નાં વતની હતા.આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટકનાં પગલે નિધન થવાનાં સમાચાર ડાંગ જિલ્લાનાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને થતા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના,ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી,એ.સી.એફ.આરતી ડામોર,નિલેશભાઈ પંડ્યા સહિત અન્ય રેંજનાં કર્મચારીઓનો કાફલો નવતાડનાં વાંસદા નેશનલ પાર્ક ખાતે દોડી ગયો હતો.

હાલમાં નિધન પામેલ આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનાં પાર્થિવ દેહને પી.એમ કરાવી માદરે વતન ચીખલી લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં દરેક કર્મીઓ જોડે સહાનુભૂતિ પૂર્વક વર્તન રાખનાર બાહોશ આર.એફ.ઓનું નિધન થતા ડાંગ જિલ્લાનાં વન વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *