નવસારીની રામ કથા સાથે સાથે મોરારીબાપુએ

નવસારીની રામ કથા સાથે સાથે મોરારીબાપુએ

પરમ પૂજ્ય મોરારીબાપુ દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત 400 વર્ષ પૌરાણિક ધારાગીરી ખાતે આવેલા વીરવાડી હનુમાનજીના મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા.

વીરવાડી ટ્રસ્ટ ના અશોકભાઈ ધોરાજીયા, ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ, સુભાષભાઈ ગુપ્તા ધીરુભાઈ ભાડજા, જીતુભાઈ પણાસરા મહંત ગોકુળદાસજી દ્વારા પૂજ્ય મોરારીબાપુની વંદના અને આશીર્વાદ મેળવ્યા હતા પૂજ્ય બાપુએ વીરવાડી દ્વારા થતી આદિવાસી કન્યાઓના વિનામૂલ્ય શિક્ષણ ભોજન અને રહેઠાણ તેમજ દર શનિવારે થતા ભંડારા તેમજ હનુમાન જયંતિએ હજારો માનવીઓને મહાપ્રસાદ ની અસરકારક વ્યવસ્થા યજ્ઞાદી કાર્યો ની નોંધ લઇ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી તેઓએ પૂજ્ય બાપુ ના માર્ગદર્શન અને સૂચનને વધુ વ્યાપક બનાવવાની ખાતરી આપી હતી.

પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા સાઈ મંદિર ઉન ખાતે દેવી દેવતાઓની પ્રતિમાનું અનાવરણ

નેશનલ હાઈવે ખાતે મુંબઈ થી અમદાવાદ વચ્ચે સૌને રોકાવાનું મન થાય અને સાઈ દર્શન થાય એના માટે વિશાળ મંદિર અને ભંડારો ઉભો કરવામાં આવેલો છે દર ગુરુવારે મોટી સંખ્યામાં ભાવિકો પધારે છે આ મંદિર ખાતે દેવી-દેવતાઓની નવી મૂર્તિઓ નું અનાવરણ વિશ્વના લોકપ્રિય કથાકાર અને તત્વચિંતક મોરારીબાપુ ના હાથે થયું હતું

આવતીકાલે રામનવમી ના પવિત્ર દિને આ સંકુલનો રજત જયંતિ મહોત્સવ ઉજવાશે જેમાં પરિવારની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થશે તેનું અનાવરણ મોરારીબાપુ જેવા લોકપ્રિય કથાકાર થયું છે

આ પ્રસંગે ટ્રસ્ટ પ્રમુખ અરવિંદભાઈ કાપડિયા ઉપપ્રમુખ કાંતિભાઈ ખત્રી મંત્રી હિમાંશુ ભાવસાર ખજાનચી વિરેન્દ્ર ખત્રી રજનીકાંત ખત્રી તેમજ દિનેશ ગાંધી અને મંદિર સાથે સંકળાયેલા જેંતીલાલ ક્ષત્રિય ચેતન કાપડિયા નિલેશ ખત્રી શંકરભાઈ લાલવાણી ધનેશ રાઠોડ કમલેશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *