વંદન છે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને

વંદન છે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને

એક બહેન રેલવેની ભીડને ચીરતા ખૂબ ઉતાવળેથી પોતાના ઘરે જવા આગળ જઈ રહ્યા છે.  એક ગરીબ ભીખારણને એક ઉપેક્ષિત નજરે જોઈ આગળ વધી જાય છે. અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે. ધીમે રહી પોતાની નજર પાછળ ઘુમાવી એ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાનથી જોતા તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતાં એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતા જ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

આ એ જ એના પથદર્શક મેથ્સના ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓના પ્રેરણાદાયક વ્યક્તિ છે એ જાણી તે બહેન ગમગીન થઈ જાય છે. તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ ,સ્નાન કરાવી ,નવા કપડાં પહેરાવી તેમને પૂછતાં દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી. પતિના મૃત્યુ પછી 3 દીકરામાંથી એક પણ દીકરો એક પણ ટંકનું ભોજન આપવા રેડી નથી. રહેવા માટેના માતા-પિતાના ઘરને વેચી નાખી તેના 3 દીકરાઓએ તે રકમને સરખે ભાગે વહેંચી લઈને વિધવા માને રસ્તે રઝળતી કરી દીધી. કોઈ આધાર અને આવક ન રહેતા મેથ્સ ટીચર બાજુના શહેરમાં રેલવે સ્ટેશને ભીખ માંગી રહ્યાં હતા.

ફટાફટ ફોન નમ્બર ડાયલ થવા લાગ્યા. 24 કલાકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા. એક વીકમાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુદક્ષિણાની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્યા.જોતજોતાંમાં એક ફુલફર્નિશ ઘર ખરીદી લેવામાં આવ્યું. 6 મહિના ચાલે તેટલું રાશન અને દર મહિને એક ચોક્કસ રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

કેરળના મલ્લાપુરમ નામના નાના એવા શહેરની વાસ્તવમાં બનેલી ઘટના છે.

વંદન છે એ ગુરુ અને શિષ્યોને….

 

Related post

સ્ટારલિંક-એરટેલ ડીલથી ભારતને કેવી રીતે ફાયદો થશે? એરટેલ-સ્ટારલિંક ડીલ વિશે વિગતવાર જાણો

સ્ટારલિંક-એરટેલ ડીલથી ભારતને કેવી રીતે ફાયદો થશે? એરટેલ-સ્ટારલિંક ડીલ…

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે એક મોટી જાહેરાત કરી છે. કંપની એલોન મસ્કના સ્પેસએક્સ સાથે એક સોદો કરવા જઈ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા-૨૦૨૫ અન્વયે વિદ્યાર્થીઓ માટે સુચારુ માર્ગદર્શન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૦…

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર (Hall Ticket) માં દર્શાવેલ વિષય, તારીખ, સમય અને જે…
યુએસએઆઇડી એ ભારતમાં કયા કાર્ય માટે ભંડોળ આપ્યું? નાણા મંત્રાલયનું નિવેદન બહાર આવ્યું, જાણો શું કહ્યું?!

યુએસએઆઇડી એ ભારતમાં કયા કાર્ય માટે ભંડોળ આપ્યું? નાણા…

ભારતને યુએસએઆઇડી ભંડોળ અંગે ચાલી રહેલ વિવાદ ફરી ચર્ચાઓના વમળમાં છે . દરમિયાન, નાણા મંત્રાલયે યુએસએઆઇડી અંગે એક નિવેદન બહાર પાડ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *