વંદન છે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને

વંદન છે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને

એક બહેન રેલવેની ભીડને ચીરતા ખૂબ ઉતાવળેથી પોતાના ઘરે જવા આગળ જઈ રહ્યા છે.  એક ગરીબ ભીખારણને એક ઉપેક્ષિત નજરે જોઈ આગળ વધી જાય છે. અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે. ધીમે રહી પોતાની નજર પાછળ ઘુમાવી એ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાનથી જોતા તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતાં એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતા જ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

આ એ જ એના પથદર્શક મેથ્સના ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓના પ્રેરણાદાયક વ્યક્તિ છે એ જાણી તે બહેન ગમગીન થઈ જાય છે. તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ ,સ્નાન કરાવી ,નવા કપડાં પહેરાવી તેમને પૂછતાં દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી. પતિના મૃત્યુ પછી 3 દીકરામાંથી એક પણ દીકરો એક પણ ટંકનું ભોજન આપવા રેડી નથી. રહેવા માટેના માતા-પિતાના ઘરને વેચી નાખી તેના 3 દીકરાઓએ તે રકમને સરખે ભાગે વહેંચી લઈને વિધવા માને રસ્તે રઝળતી કરી દીધી. કોઈ આધાર અને આવક ન રહેતા મેથ્સ ટીચર બાજુના શહેરમાં રેલવે સ્ટેશને ભીખ માંગી રહ્યાં હતા.

ફટાફટ ફોન નમ્બર ડાયલ થવા લાગ્યા. 24 કલાકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા. એક વીકમાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુદક્ષિણાની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્યા.જોતજોતાંમાં એક ફુલફર્નિશ ઘર ખરીદી લેવામાં આવ્યું. 6 મહિના ચાલે તેટલું રાશન અને દર મહિને એક ચોક્કસ રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

કેરળના મલ્લાપુરમ નામના નાના એવા શહેરની વાસ્તવમાં બનેલી ઘટના છે.

વંદન છે એ ગુરુ અને શિષ્યોને….

 

Related post

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
આંતરરાષ્ટ્રીય ચા દિવસ: ફક્ત 21 મે ના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય ચા દિવસ: ફક્ત 21 મે ના રોજ જ…

ભારત સહિત ઘણા દેશોમાં ચા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય…
ઓપરેશન સિંદૂર એ ન્યૂ નોર્મલ નક્કી કર્યું, જાણો તે શું છે? પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં 3 મુદ્દા જણાવ્યા

ઓપરેશન સિંદૂર એ ન્યૂ નોર્મલ નક્કી કર્યું, જાણો તે…

ઓપરેશન સિંદૂર પછી, પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે ભારત આતંકવાદ સામેની તેની નીતિઓ સાથે ક્યારેય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *