ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉનાઇ મંદિર ખાતે સફાઇ હાથ ધરી

ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉનાઇ મંદિર ખાતે સફાઇ હાથ ધરી

રાજયમાં ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ વાંસદા તાલુકાના ઉનાઇ ખાતે માતાજીના મંદિરના પરિસરમાં સાફ સફાઇ હાથ ધરી હતી.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, પરશુરામ જન્મજયંતિ નિમિત્તે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ મંત્રીશ્રીઓ દ્વારા ધર્મસ્થાનો પર સફાઇ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મંદિર પરિસરોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે. ઉનાઇ મંદિરના પરિસરમાં તેમજ દરેક ધાર્મિક સ્થળ સ્વચ્છ અને સુઘડ રાખવાની જવાબદારી આપણી સૌની છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

ઉનાઇ માતાજીના મંદિરને સ્વચ્છ બનાવવાના સફાઇ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, અધિક નિવાસ કલેકટર કેતન જોષી, વાંસદા પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સહિત અધિકારીઓ/પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો જોડાયા હતાં.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *