ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉનાઇ મંદિર ખાતે સફાઇ હાથ ધરી

ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉનાઇ મંદિર ખાતે સફાઇ હાથ ધરી

રાજયમાં ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ વાંસદા તાલુકાના ઉનાઇ ખાતે માતાજીના મંદિરના પરિસરમાં સાફ સફાઇ હાથ ધરી હતી.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, પરશુરામ જન્મજયંતિ નિમિત્તે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ મંત્રીશ્રીઓ દ્વારા ધર્મસ્થાનો પર સફાઇ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મંદિર પરિસરોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે. ઉનાઇ મંદિરના પરિસરમાં તેમજ દરેક ધાર્મિક સ્થળ સ્વચ્છ અને સુઘડ રાખવાની જવાબદારી આપણી સૌની છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

ઉનાઇ માતાજીના મંદિરને સ્વચ્છ બનાવવાના સફાઇ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, અધિક નિવાસ કલેકટર કેતન જોષી, વાંસદા પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સહિત અધિકારીઓ/પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો જોડાયા હતાં.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *