પ્રેમએ મૃતક પ્રેમિકાની શંકાસ્પદ મોત અંગે સ્થાનિક પોલીસ તેમજ સુરત રેન્જ આઈજી કરાયેલ અરજી બાદ ગુનો નોંધીને મૃતદેહ કબરમાંથી બહાર કાઢીં તપાસ પોલીસે હાથ ધરી

પ્રેમએ મૃતક પ્રેમિકાની શંકાસ્પદ મોત અંગે સ્થાનિક પોલીસ તેમજ સુરત રેન્જ આઈજી કરાયેલ અરજી બાદ ગુનો નોંધીને મૃતદેહ કબરમાંથી બહાર કાઢીં તપાસ પોલીસે હાથ ધરી

નવસારી જિલ્લાના ખેરગામ રહેતા બ્રિજેશ પટેલને જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં રહેતી એક મુસ્લિમ યુવતિ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ હતો. બંને સાથે જીવન જીવવાની એક બીજા વચન આપ્યું હતું. થોડા સમય અગાઉ બંને જણા ઘર છોડી ભાગી પણ ગયા હતા. બંને શોધી લાવી પરિવારનાં સભ્યોએ બંનેને પોતાના ઘરે પરત લાવ્યા હતા. ત્યારબાદ અચાનક યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું આ અંગે યુવકે ગંભીર આરોપ લગાવીને એક અરજી સ્થાનિક પોલીસ તેમજ સુરત રેન્જ આજીને આપી હતી.

પ્રેમી બ્રિજેશ પટેલ ધ્વારા સ્થાનિક પોલીસ તેમજ સુરત રેન્જ આઈજી અપાયેલ અરજી

બ્રિજેશ પટેલના જણાવ્યાનુસાર યુવતિ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ હતો.એક દિવસ યુવતીના ઘરવાળા અચાનક તેને શોધવા આવ્યા તેના ઘરે આવ્યા હતા. પરંતુ યુવતી મારા ઘરે ન હતી. ત્યારબાદ યુવતીનો ફોન આવ્યો હતો અને હું વલસાડ છું. હું વલસાડ થઈ યુવતી લાવી તેના પરિવારજનો સોંપી હતી.પ્રેમી યુવક બ્રિજેશને બીજા દિવસે ખબર પડી કે, પ્રેમિકા યુવતી એ ગળેફાંસો ખાઇને મૃત્યું નીપજાવ્યું છે.

આ ધટના તપાસ અર્થે સ્થાનિક પોલીસ તેમજ સૂરત રેન્જ આઈજી એક અરજી કરી હતી.બ્રિજેશ દ્વારા જે અરજી આપવામાં આવી છે, તેમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામે યુવતીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રેમિકા એવી યુવતી મોતની તપાસ કરવા માંગ કરી હતી.જ્યારે મૃતક યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ ધટનામાં અમારી દિકરીએ હતાશ થઈ ને આત્મહત્યા કરી લીધી છે.એક સુસાઈડ નોટમાં તેને અપનાવી ન હોવાથી હતાશામાં આવી આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

પ્રેમી બ્રિજેશ પટેલની અરજી બાદ સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. યુવતીનું ર૧ તારીખે શંકાસ્પદ મોત થયું હતું. જે ઘટનાના ૪ દિવસ બાદ નવસારી જિલ્લા પોલીસે ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને નવસારી પોલીસ હવે યુવતીના મોતના સચોટ કારણની જાણ માટે અકસ્માત મોતનો ગુનો નોંધી આ દિશામાં તપાસ શરૂ કરી છે.

મૃતક યુવતી ફાઈલ તસવીર

નવસારી જિલ્લાના કલથાણ ખાતેના કબ્રસ્તાનમાં પ્રાંત અધિકારી આર.આર.બોરડ હાજર રહીને માહિતી મેળવી છે. જ્યારે જલાલપોર તાલુકાના કલથાણ ગામમાં પોલીસ ચૂસ્ત બંદોબસ્ત સાથે કબરમાંથી યુવતીના મૃતદેહ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહ બહાર કર્યા બાદ પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત ખાતે લઈ જવામાં આવશે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ પ્રેમિકા એવી યુવતીએ આત્મહત્યા કે હત્યા એનો ભેદ ઉકેલાશે.

અરજી તેમજ ગુનો નોંધાયા બાદ તપાસ અંગે પોસ્ટમોર્ટમ માટે યુવતીનો કબરમાંથી મૃતદેહ આવેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ 

નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહેતી યુવતીની આત્મહત્યા કે હત્યા તેના શંકાસ્પદ મોત પગલે પોલીસ ધ્વારા ગુનો નોંધી વહીવટીતંત્ર સાથે રાખી તપાસ હાથ ધરાઈ 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *