સ્વાગત કાર્યકમ થકી ગામના વિદ્યાર્થીઓની બસ મુસાફરી થઇ સરળબસના સમયમાં ફેરફાર થકી વિદ્યાર્થીઓ કોલેજમાં હવે સમયસર પહોંચે છે

સ્વાગત કાર્યકમ થકી ગામના વિદ્યાર્થીઓની બસ મુસાફરી થઇ સરળબસના સમયમાં ફેરફાર થકી વિદ્યાર્થીઓ કોલેજમાં હવે સમયસર પહોંચે છે

‘સ્વાગત કાર્યકમ થકી મારી દિકરી સહિત ઘણા વિદ્યાર્થીઓની ભણતરની મુસાફરી સરળ બની છે અને એ માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું’: સંજયભાઈ પટેલ (અરજદાર)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના કાર્યકાળમાં નાગરિકોના પ્રશ્નો સુખદ નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની શરુઆત ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ કરી હતી. આ સ્વાગત કાર્યક્રમને હવે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકારના લોકાભિમુખ વહીવટની બાબતોથી નાગરિકો વાકેફ થાય અને તેનો મહત્તમ લોકો લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને આજે આ કાર્યક્રમ લોકપ્રશ્નોનું સુખદ અને ત્વરિત નિરાકરણ લાવી એક જ્વલંત જનઅભિયાન બની ગયું છે.

આવા સુખદ નિવારણના લાખો પ્રસંગોમાંથી એક પ્રસંગ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અંબાચ ગામના જાગૃત નાગરિક સંજયભાઈ પટેલનો છે. જેમણે પોતાના ગામના સહિત આસપાસના ગામના વિદ્યાર્થીઓની ભણતર માટે બસ-મુસાફરીનાં નિયત સમયમાં જરૂરી ફેરફાર માટે ‘સ્વાગત’માં અરજી કરેલ હતી. અને જેનું સુખદ પરિણામ હવે અંતરિયાળ વિસ્તારમાં ઉમરકુઈથી ચીખલી રૂટની ચાલુ બસના વિદ્યાર્થી-મુસાફરો ચીખલી કોલેજ પર સમયસર પહોચાડવામાં મદદરૂપ થઇ રહ્યું છે.

આ બાબતે અંબાચ ગામના જાગૃત નાગરિક અને પિતા સંજયભાઈ પટેલે જણાવ્યું કે, અમારું ગામ અંતરીયાળ વિસ્તારમાં છેવાડાનું ગામ છે. અહી બસ નિયમિત આવે છે. મારી દિકરી તથા આસપાસના ગામના ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચતર શિક્ષણ માટે ચીખલી કોલેજમાં જાય છે. પરંતુ બસનો ઉપડવાનો સમય સવારે થોડો મોડો હોવાથી વિદ્યાર્થીઓને કોલેજે પહોંચવામાં મોડું થતું હતું.

આ બાબતે એસ.ટી. વિભાગ તથા સ્વાગત પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી. પરિણામ સ્વરૂપે થોડા સમય બાદ પ્રાંત કચેરી તથા એસ.ટી વિભાગ, વહીવટી તંત્ર દ્વારા સુખદ નિરાકરણ લાવતા બસના સમયમાં ફેરફાર કરતા અહીના વિદ્યાર્થીઓને હવે કોલેજ સમયસર પહોંચવું સરળ થયું છે અને જેથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આંનદની લાગણી પ્રસરી છે.

અંબાચ ગામના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતા વિદ્યાર્થીઓ, સંજયભાઈ પટેલ અને ગામના લોકો સમગ્ર વહીવટી તંત્ર અને સરકારનો આભાર માની રહ્યા છે. અને જાણે સ્વાગત કાર્યક્રમ એ એમના પ્રશ્નોના નિરાકરણ માટેનો ખરા અર્થમાં સુખદ સેતુ બન્યો હોય એવો હાશકારો અનુભવે છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *