નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજાયા:જે અંતર્ગત અનુક્રમે ૨૨૬, ૨૬૩ અને ૧૭૭ સ્થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજાયા:જે અંતર્ગત અનુક્રમે ૨૨૬, ૨૬૩ અને ૧૭૭ સ્થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ.સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ૨૦૨ ગ્રામ કક્ષાની અરજીઓ અને ૨૪ તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ ૨૨૬ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જ્યારે, ચીખલી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ૨૫૭ ગ્રામ કક્ષાની અરજીઓ અને ૦૬ તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ ૨૬૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ જ શ્રુંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી

ડી. આઈ. પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ૧૬૫ ગ્રામ કક્ષાની અરજીઓ અને ૧૨ તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ ૧૭૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ICDS વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *