ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર” નું લોકાર્પણ કર્યુ:નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે:નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 

ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર” નું લોકાર્પણ કર્યુ:નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે:નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 

નવસારી જિલ્લા ના ચીખલી તાલુકાના ઘોલાર ગામ ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇએ આજરોજ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર”નું રીબીન કાપી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાના ખેતરમાં કેરી, શાકભાજી મહેનત કરીને બનાવે છે અને વેપારીઓ સસ્તાભાવે ખરીદીને ઉંચાભાવે માર્કેટમાં વેચાણ કરે છે. જેથી ખેડૂતો પોતે સીઝનેબલ શાકભાજી, કેળા, કેરી વિગેરે ખેતરમાંથી સીધા આ હાટ બજારમાં વેંચીને સારો ભાવ મેળવી શકે છે. ઘોલાર ગામ તેમજ આજુબાજુના ગામોને આદિજાતિ વિભાગ દ્વારા રૂા.૨૦૦ લાખના ખર્ચે નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં હાટ બજારનો પ્રારંભ કર્યો હતો. આજે ગુજરાત દરેક ક્ષેત્રે વિકાસના પંથે આગળ વધી, ગુજરાત મોડેલ રાજય બની ગયું છે. મંત્રીશ્રીએ રાજય સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતાં.

 

આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રૂા.૨૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલા આ હાટ બજારથી આદિવાસી વિસ્તારના ખેડૂતોને સારા ભાવો મળી રહેશે. આ વિસ્તાર બાગાયતી વિસ્તાર છે તેમ જણાવી ખેડૂતો બાગાયતી પાકોનું ઉત્પાદન કરી, આ હાટ બજારમાં વેચીને સારો લાભ મેળવી શકશે. આ હાટ બજાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.

 આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઘોલારા ખાતે નવા”હાટ બજાર”થી ઘોલાર ગામ તથા આજુબાજુના ગામડાઓના છેવાડાના લોકોને આનો લાભ મળશે. રૂા.૨૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલ હાટ બજાર બિલ્ડીંગમાં ૭૯ જેટલી દુકાનો, ઓફિસ, મીટીંગરૂમ, સીકયુરીટી રૂમ, કેન્ટીન, ડિસ્પ્લે રૂમ, સ્ટેજ, સીકયુરીટી ગાર્ડ કવાર્ટસ, અલાયદા બોર સાથે પાણી પુરવઠા વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા તેમજ ઇલેકટ્રીફીકેશ તથા સ્ટ્રીટ લાઇટ સુવિધા વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ  કલ્પનાબેન ગાંવિત, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ, ચીખલી પ્રાંત અધિકારી અમિત ચૌધરી સહિત પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *