નવસારી જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદથી બચવા આટલુ કરો

નવસારી જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદથી બચવા આટલુ કરો

નવસારી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ગુજરાત સરકારના હવામાન વિભાગના વેધર બુલેટિનથી મળેલી સૂચના મુજબ આગામી તા.૦૯/૦૬/૨૦૨૩ થી તા.૧૧/૦૬/૨૦૨૩ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી સહિત અમુક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ સાવચેતીના પગલાં લેવા નાયબ બાગાયત નિયામકની કચેરી,નવસારી દ્વારા જણાવવામાં આવે છે.

જે અન્વયે કમોસમી વરસાદથી પાક નુક્સાનથી બચવા ખેતરમાં કાપણી કરેલ પાક બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવું અથવા તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. આંબાની ખેતી કરતાં ખેડૂત ભાઇઓએ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો.

પપૈયા, કેળ, જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. પાક ઉપર જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા. એપીએમસીમા વેપારી મિત્રો અને ખેડૂત ભાઇઓએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

માર્કેટ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવામાં આવે છે .વધુમાં આ સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. આ ઉપરાંત ખેડૂતોએ નવસારી ક્રુષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલ પગલા લેવા જણાવાયું છે.

આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક કચેરી, જુની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં,પોલીસ ગેટ,મોટા બજાર, નવસારી ફોન નં. ૦૨૬૩૭-૨૮૧૮૫૮ , ઇ-મેઇલ- ddh.navsari@gmail.com પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *