નવસારી જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદથી બચવા આટલુ કરો

નવસારી જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદથી બચવા આટલુ કરો

નવસારી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ગુજરાત સરકારના હવામાન વિભાગના વેધર બુલેટિનથી મળેલી સૂચના મુજબ આગામી તા.૦૯/૦૬/૨૦૨૩ થી તા.૧૧/૦૬/૨૦૨૩ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી સહિત અમુક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ સાવચેતીના પગલાં લેવા નાયબ બાગાયત નિયામકની કચેરી,નવસારી દ્વારા જણાવવામાં આવે છે.

જે અન્વયે કમોસમી વરસાદથી પાક નુક્સાનથી બચવા ખેતરમાં કાપણી કરેલ પાક બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવું અથવા તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. આંબાની ખેતી કરતાં ખેડૂત ભાઇઓએ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો.

પપૈયા, કેળ, જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. પાક ઉપર જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા. એપીએમસીમા વેપારી મિત્રો અને ખેડૂત ભાઇઓએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

માર્કેટ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવામાં આવે છે .વધુમાં આ સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. આ ઉપરાંત ખેડૂતોએ નવસારી ક્રુષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલ પગલા લેવા જણાવાયું છે.

આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક કચેરી, જુની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં,પોલીસ ગેટ,મોટા બજાર, નવસારી ફોન નં. ૦૨૬૩૭-૨૮૧૮૫૮ , ઇ-મેઇલ- ddh.navsari@gmail.com પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *