નવસારીના અમલસાડ ગાંધી ફળિયા માંથી 17 નાગના બચ્ચા બચાવાયા: ગણદેવી વનવિભાગ ધ્વારા જંગલમાં મુકત કરાયા

નવસારીના અમલસાડ ગાંધી ફળિયા માંથી 17 નાગના બચ્ચા બચાવાયા: ગણદેવી વનવિભાગ ધ્વારા જંગલમાં મુકત કરાયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધી ફળિયા ખાતેથી 17 નાગના બચ્ચા રેસક્યુ કરાયા આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધી ફળિયા ખાતેથી જીગ્નેશભાઈ વામનભાઈ નાયકા ના ઘરના વાડામાં એક સાપનું બચ્ચું દેખાતા તેઓએ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી એન.જી.ઓ ના સ્વયંસેવક ભાવેશ હળપતિને ફોન કરીને જાણ કરતા તેઓ સ્વયંસેવક દેવાભાઈ હળપતિ સાથે સ્થળ પર જઈને જોતા નાગનું બચ્ચું દેખાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા બીજા બે બચ્ચા પણ જોવા મળ્યા અને ધીરે ધીરે દરમાંથી કુલ નાગના 17 બચ્ચા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.એક સાથે 17 બચ્ચા રેસક્યુ થતા તેઓએ ગણદેવી વન વિભાગના આરએફઓ  છાયાબેન પટેલને જાણ કરતા આર.એફ.ઓ છાયાબેન નિકુંજભાઇ પટેલ ભાવિનભાઈ પટેલ સ્થળ પર આવી નાગના બચ્ચાનો કબજો લીધેલ હતો

નાગની પ્રજાતિ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ સંરક્ષિત હોવાથી તેને સંરક્ષણ મળેલ છે સરીસૃપોમાં સાપોની પ્રજાતિમાં ચાર ઝેરી સાપોમાં નાગ પણ આવે છે સામાન્ય રીતે સાપોની પ્રજાતિ માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે.પરંતુ માનવી દ્વારા ઘરનું વધેલું ખાવાનું ઘરની બાજુમાં ફેકાતા તે ખાવા ઉંદર આવે છે અને ઉંદરને ખાવા સાપો માનવ વસાહતમાં આવી ચડે છે.

જો તમારા ઘરની આજુબાજુ સાપ કે વન્યજીવ દેખાય તો વન વિભાગ અથવા તો નજીકની વન્યજીવ પર કામ કરતી સંસ્થા નો સંપર્ક કરવો કેમકે વન્યજીવને મારવું 1972 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે તો આપણે સૌએ પ્રકૃતિની સૌથી મહત્વની કડી સરીસૃપોનું રક્ષણ કરવું જોઈએ.

આ 17 રેસ્કયુ નાગના બચ્ચા સર્વે તંદુરસ્ત બચ્ચા જંગલમાં છોડવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી. ગણદેવી વનવિભાગ આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા સ્ટાફ ધ્વારા જંગલ મુક્ત કરવામાં આવ્યા છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *