નવસારીના અમલસાડ ગાંધી ફળિયા માંથી 17 નાગના બચ્ચા બચાવાયા: ગણદેવી વનવિભાગ ધ્વારા જંગલમાં મુકત કરાયા

નવસારીના અમલસાડ ગાંધી ફળિયા માંથી 17 નાગના બચ્ચા બચાવાયા: ગણદેવી વનવિભાગ ધ્વારા જંગલમાં મુકત કરાયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધી ફળિયા ખાતેથી 17 નાગના બચ્ચા રેસક્યુ કરાયા આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધી ફળિયા ખાતેથી જીગ્નેશભાઈ વામનભાઈ નાયકા ના ઘરના વાડામાં એક સાપનું બચ્ચું દેખાતા તેઓએ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી એન.જી.ઓ ના સ્વયંસેવક ભાવેશ હળપતિને ફોન કરીને જાણ કરતા તેઓ સ્વયંસેવક દેવાભાઈ હળપતિ સાથે સ્થળ પર જઈને જોતા નાગનું બચ્ચું દેખાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા બીજા બે બચ્ચા પણ જોવા મળ્યા અને ધીરે ધીરે દરમાંથી કુલ નાગના 17 બચ્ચા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.એક સાથે 17 બચ્ચા રેસક્યુ થતા તેઓએ ગણદેવી વન વિભાગના આરએફઓ  છાયાબેન પટેલને જાણ કરતા આર.એફ.ઓ છાયાબેન નિકુંજભાઇ પટેલ ભાવિનભાઈ પટેલ સ્થળ પર આવી નાગના બચ્ચાનો કબજો લીધેલ હતો

નાગની પ્રજાતિ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ સંરક્ષિત હોવાથી તેને સંરક્ષણ મળેલ છે સરીસૃપોમાં સાપોની પ્રજાતિમાં ચાર ઝેરી સાપોમાં નાગ પણ આવે છે સામાન્ય રીતે સાપોની પ્રજાતિ માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે.પરંતુ માનવી દ્વારા ઘરનું વધેલું ખાવાનું ઘરની બાજુમાં ફેકાતા તે ખાવા ઉંદર આવે છે અને ઉંદરને ખાવા સાપો માનવ વસાહતમાં આવી ચડે છે.

જો તમારા ઘરની આજુબાજુ સાપ કે વન્યજીવ દેખાય તો વન વિભાગ અથવા તો નજીકની વન્યજીવ પર કામ કરતી સંસ્થા નો સંપર્ક કરવો કેમકે વન્યજીવને મારવું 1972 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે તો આપણે સૌએ પ્રકૃતિની સૌથી મહત્વની કડી સરીસૃપોનું રક્ષણ કરવું જોઈએ.

આ 17 રેસ્કયુ નાગના બચ્ચા સર્વે તંદુરસ્ત બચ્ચા જંગલમાં છોડવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી. ગણદેવી વનવિભાગ આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા સ્ટાફ ધ્વારા જંગલ મુક્ત કરવામાં આવ્યા છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *