મેરા એક ઘર બને ન્યારા આ સપનાઓ સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના: મારૂ પોતાનું પાકું ઘર હોય તે સ્વપ્ન સરકારે સાકાર કરાવ્યું: રાજુભાઇ

મેરા એક ઘર બને ન્યારા આ સપનાઓ સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના: મારૂ પોતાનું પાકું ઘર હોય તે સ્વપ્ન સરકારે સાકાર કરાવ્યું: રાજુભાઇ

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પૂરું પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના છે.

જેને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક એવી સફળ મિશાલ છે કે તેમના જૂના કાચાં ખોરડાંની જગ્યાએ પાકું મકાન બનાવી શક્યા છે.

આ યોજના સહાયથી લાભાન્વિત થનાર મુળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાસીયા તળાવ ગામના પટેલ ફળિયામાં રહેતા રાજુભાઇ જમનાભાઈ પાડવીને પાકું આવાસ મળતા ગઢ જીત્યાની ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, મને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ઘર મળ્યું છે. વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા પણ મારૂ પોતાનું ઘર હોય તે સ્વપ્ન સરકારે સાકાર કરાવ્યું છે. ભૂતકાળના દિવસો યાદ કરતા તેઓ કહે છે કે, હું છુટક ખેત મજૂરી કરી કાચા મકાનમાં રહેતો હતો.

જેના કારણે વરસાદમાં છત ટપકતી હતી તથા વધુ વરસાદથી કાદવવાળું/ ગારાવાળું થઇ જતું હતું. મારું આખું પરિવાર ઘણી મુશ્કેલીમાં રહેતું હતું . આજે હું મારા પરિવાર સાથે મારા પોતાના પાકા મકાનમાં સુખચેનથી ઉમંગભેર જીવન વ્યતિત કરી રહ્યો છું.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારા વિસ્તારમાં મોટાભાગે ખેડૂતો પશુપાલન અને ખેતી કરી જીવન નિર્વાહ કરે છે. એક દિવસ હું વાંસદા તાલુકા પંચાયત પર ખેતીલક્ષી કામ માટે ગયો હતો .ત્યાં પ્રધાન મંત્રી ગ્રામીણ આવસ યોજનાનું જાહેરાત બોર્ડ જોયું અને જાણકારી પ્રાપ્ત થઇ કે ઘર બનાવવા માટે સહાય મળવાપાત્ર છે.

જે જાણીને મને મારું સપનાનું મકાન બનવવાની હિમ્મત થઈ અને હું હમેશા વિચારતો કે મારું પરિવાર હમણા સુધી વરસાદની ગળતી છતમાં રહ્યો પણ હું મારા સંતાનને પાકા મકાનમાં રાખીશ. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી ટુંકા ગાળામાં અમારા પરિવારે ન ધારેલું ઘરનું સપનું પૂર્ણ થઈ ગયું. અમને પાકા મકાન સાથે પાયાની બધી સુવિધા મળી.આજે મારો પરિવાર બધી સુવિધા સાથે સન્માન અનુભવીને માથું ઉચું રાખી સમાજમાં જીવી શકે છે. આજે આ બધી સુવિધા બદલ આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને અમારા પરિવાર વતી ખુબ ખુબ આભાર .

સ્વચ્છ-સુઘડ અને સુવિધાસભર આવાસોનું નિર્માણ થવાથી રાજુભાઇ જમનાભાઈ પાડવીના પરિવારમાં ખુશાલી આવી છે. આવનારી પેઢીઓના ઉછેર અને ઘડતરમાં તેની હકારાત્મક અસરો ઊભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ આવાસ યોજના રાજ્યભરના અને દેશભરના ગરીબ લોકોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સરળતાથી સાકાર કરી રહી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *