બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે જલાલપોર તાલુકાના એરૂ થી મટવાડ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરાયો
- Local News
- June 15, 2023
- No Comment
બિપરજોય વાવાઝોડાની આગાહી અન્વયે તા.૧૫ અને ૧૬ જુન-૨૦૨૩ ના રોજ તીવ્ર ગતિથી પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. જેથી તીવ્ર પવન/વરસાદ થી રસ્તાના વૃક્ષો ધરાશયી થવાના તેમજ વીજ તાર તુટવાની સંભાવના રહેલી છે. જેથી લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે છે.

જે અતંર્ગત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરૂ થી દાંડી જતો માર્ગ પર વાહનોની અવર-જવર વધુ હોઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાંડી હેરીટેઝ માર્ગનો ઉપયોગ ન કરવા તેમજ વૈકિલ્પક રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

પ્રતિબંધિત વિસ્તાર એરૂ થી મટવાડ સુધીનો મુખ્ય માર્ગ છે. જયારે વૈકલ્પિક માર્ગ તરીકે એથાણ તથા કોથમડી ગામના લોકોએ એરૂ-ઓંજલ માર્ગ પર થઇ આંતરિક રસ્તા દ્વારા એથાણ-કોથમડી પહોંચી શકાશે. બોદાલી, મછાડ, કરાડી, મટવાડ ગામના લોકોએ જલાલપોર (નવસારી શહેર)થી બોદાલી-મછાડ થઇ કરાડી, મટવાડ પેથાણ માર્ગનો ઉપયોગ કરવા પ્રાંત અધિકારી નવસારી દ્વારા જણાવાયું છે.