નવસારી રાજપૂત સમસ્ત પંચના પ્રમુખ અને મંત્રીની વરણી સાથે 18 મો વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો

નવસારી રાજપૂત સમસ્ત પંચના પ્રમુખ અને મંત્રીની વરણી સાથે 18 મો વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો

નવસારીમાં પેઢીઓથી વસતા ધોબી સમાજના સંગઠન નવસારી રાજપૂત સમસ્તપંચ ની નાગરવાડ ધોબીવાડ ખાતે આવેલી વાડી ખાતે આગામી વર્ષ ના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદાર વરણી કરવામાં આવી હતી.  આગામી વર્ષ માટે સેવાભાવી કાર્યકર રાજુ જમનાદાસ રાજપુત તેમજ મંત્રી પદે કસાયેલા કાર્યકર રોહિત માણેકલાલ ચૌહાણ ની વરણી થઈ છે.આ ધોબી સમાજની વાડી નાગરવાડ ખાતે યુથ ક્લબ અને રાજપૂત સમસ્તપંચ ના સંયુક્ત ઉપક્રમે સતત 18 માં વર્ષનો રક્તદાન શિબિર યોજાયો હતો. આ રક્તદાન શિબિર 36 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

આ શિબિર ટાણે સમસ્ત પંચના પ્રમુખ રાજુ રાજપુત સહિત અનેક જ્ઞાતિજનો અને યુથ ક્લબના આગેવાનો એવા અજય બાબુલાલ શાહ અજય રવજીભાઈ પટેલ રાજુભાઈ ઘેલા ગોપાલજી પેટ્રોલ પંપ વિજય લોન્ડ્રી ના વિજયભાઈ ચૌહાણ અનિલ જયંતીભાઈ ચૌહાણ અને રેડ ક્રોસ ટીમ ઉપસ્થિત રહી હતી.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *