એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉત્સાહથી ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉત્સાહથી ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉપસ્થિત સૌએ અમેરિકાથી માનનીય વડાપ્રધાનનો યોગ સંદેશો તથા સુરતથી રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંબોધનને લાઈવ નિહાળ્યો હતો. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થકી આ કાર્યક્રમમાં એન.સી.સી.કેડેટ, સામાજીક અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા.

‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ’ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી.આ પ્રસંગે જલાલપોર ના મામલતદાર જિજ્ઞા પરમાર,તાલુકા વિકાસ અધિકારી શિવરાજ ખુમાણ, તાલુકાના કર્મચારી તથા યોગપ્રેમી ઉપસ્થિત રહયા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *